Gujarat by Election Results 2025 Updates: વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાનો 17581 મતથી ભવ્ય વિજય થયો છે. આ સાથે જ વિસાવદરમાં ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. છેલ્લા 21 મા રાઉન્ડના અંતે "આપ"ના ગોપાલ ઇટાલિયા 17581મતથી વિજેતા જાહેર થયા છે. આમ આદમી પાર્ટીની આ જંગી જીતના અનેક કારણો છે. આદ આદમી પાર્ટીએ ઉમેદવારની જાહેરાતથી લઈને છેલ્લે સુધી જે રણનીતિ અપનાવી તે કામ કરી હતી.
વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીતના કારણ
વિસાવદરની હારથી ભાજપમાં સોપો પડી ગયો
પેટાચૂંટણીના પરિણામો બાદ ભાજપ કાર્યાલય કમલમ ખાતે શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના વિપરીત પરિણામ આવતા કમલમમાં એકદમ શાંતિ જોવા મળી. વિસાવદરની સીટ હારતા કડીની જીતની પણ ઉજવણી નહિ કરાય તેવુ લાગી રહ્યું છે. અંદાજીત 2 વાગ્યા આસપાસ ભાજપ પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.
વિસાવદરના પરિણામો માટે મંથન કરીશું - ભાજપ
પેટાચૂંટણીના પરિણામ વિશે ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે કહ્યું કે, હારજીતની સાથે મતદાન લોકોએ કર્યું છે. જ્ઞાતિવાદના રાજકારણથી ઉપર ઉઠી મતદાન કર્યું છે. દેશની સુરક્ષાને પીએમ મોદીના સૌના સાથ માટે મતદાન કર્યું છે. લોકોએ પીએમની વાતને સમર્થન કર્યું છે. જનસામાન્ય પીએમ મોદી સાથે જોડાયેલા છે. તમામ મતદારોનો આભાર માનું છું. કડીમાં અભૂતપૂર્વ જીત થઈ છે. વિસાવદરના પરિણામો માટે મંથન કરીશું. લોકોની વચ્ચે જઈશું. ત્યાં જઈને જાણીશું ત્યારે ખબર પડશે સ્થિતિ શું છે. દરેક ચૂંટણીમાં આંતરિક વિવાદની સ્થિતિ જોવા મળે છે. પીએમ મોદી સાથે લોકો જોડાયેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે