Home> Gujarat
Advertisement
Prev
Next

મનિષ સીસોદીયાના ટ્વીટ- આમંત્રણ મુદ્દે જીતુ વાઘાણીનું નિવેદન, કહ્યું, 'કેટલાક લોકો સત્તાના મદમાં છે...'

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, હું કોઇને ગુજરાત સાથે સરખામણી કરવા માંગતો નથી. કેટલાક લોકો સત્તાના મદમાં છે. તેઓ દિલ્હી અને પંજાબ જીત્યા બંને રાજ્યોનો સરવાળો ગુજરાત જેટલો નથી. ગુજરાત એવું મેદાન નથી કે એમને કોઇને હિરોગીરી કરવા મળે.

મનિષ સીસોદીયાના ટ્વીટ- આમંત્રણ મુદ્દે જીતુ વાઘાણીનું નિવેદન, કહ્યું, 'કેટલાક લોકો સત્તાના મદમાં છે...'

ઝી મીડિયા/બ્યૂરો: ગુજરાતમાં આખરે ચૂંટણીનો ગરમાવો જોવા મળ્યો છે. શિક્ષણ મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયા છે. દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણમંત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. બંનેમાંથી કયા રાજ્યની શિક્ષણ વ્યવસ્થા મજબૂત છે તે અંગે ચર્ચા કરવાનો પડકાર મનીષ સિસોદિયાએ ફેંક્યો છે. ગુજરાત ભાજપે દિલ્હીના શાળાઓ વિરુદ્ધ દિલ્હીના મુખ્યમંત્રી સામે ઉઠાવ્યા હતા, જેના જવાબમાં મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને જિતુ વાઘાણીને ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો. હવે મનિષ સીસોદીયાના ટ્વીટ અને આમંત્રણ મુદ્દે જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે.
 
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, હું કોઇને ગુજરાત સાથે સરખામણી કરવા માંગતો નથી. કેટલાક લોકો સત્તાના મદમાં છે. તેઓ દિલ્હી અને પંજાબ જીત્યા બંને રાજ્યોનો સરવાળો ગુજરાત જેટલો નથી. ગુજરાત એવું મેદાન નથી કે એમને કોઇને હિરોગીરી કરવા મળે. મિડિયામાં રહેવા અને મિડિયા ટ્રાયલ માટે લોકો વાતો કરે છે આ ગુજરાત છે. સૌ પોતાના સંસ્કાર બતાવે, અમે અમારા સંસ્કાર બતાવ્યા છે. 

fallbacks

તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતે બે લોકસભામાં 26 બેઠકો આપી છે. જો તેઓ સારૂ કામ હોય તો દિલ્હીમાં લોકસભામાં કેમ બેઠકો ન આવી. રાજ્યની જનતા વચ્ચે ભુતકાળમાં અનેક પાર્ટી આવી છે, તમામ પાર્ટીને ચૂંટણી લડવાનો અધિકાર છે. પરંતુ પહેલી વાર કોઇ ભગવાન થઇ નીકળ્યા હોય એવું કરી રહ્યા છે. સોમનાથ દાદા અમારા ભગવાન અને બીજા ભગવાન અમારી જનતા જનાર્દન છે. રાજ્યની ભાજપા સરકારની કામગીરી જનતા જાણે છે માટે બધી લોકસભાની બેઠક આપી છે. અમે જવાબદારી સાથે જનતાએ આપેલી જવાબદારી સ્વીકારીએ છીએ. ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં ફરી આશીર્વાદ મળશે.

જીતુ વાઘાણીએ આપના નેતાઓ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાથમિક અને ગ્રાન્ટ ઇન માધ્યમિક મળી કુલ 40 હજાર સ્કુલ છે. રાજ્યમાં 54 સ્માર્ટ સ્કુલ છે. આવનારા દિવસોમાં 40 હજારમાંથી 6 વર્ષમાં 20 હજાર સ્માર્ટ સ્કુલ બનાવાશે. ગુજરાતમાં 70 લાખ વિદ્યાર્થી છે માટે સરખામણી કરવા કરતાં સેવા કરવામાં માનીએ છીએ. ચૂંટણી મેદાનમાં જે વાતો કરવી હશે એ કરે જનતા જેને સ્વીકારશે તે ખરું. ગુજરાતની જનતા શાણી જનતા છે અને તેમને વિકાસનો રસ્તો પકડ્યો છે. પહેલાં તેઓ 28 વર્ષ શાસનમાં આવે ત્યાર પછી સરખામણી કરે.

ઉલ્લેખનીય છે કે, મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, કાલથી બીજેપી ગુજરાત દિલ્હી સ્કૂલોની વિરુદ્ધ ટ્વીટ કરી રહી છે. ગુજરાતમાં આપના વધતા પ્રભાવ અને પંજાબ ચૂંટણીના પરિણામોથી તમે ગુસ્સે થયા છો. ભાજપ શિક્ષણની વાત ન કરે તો જ સારું છે. જિતુ વાઘાણી કહે એ જગ્યા પર અને એ દિવસે ચર્ચા કરવા હું તૈયાર છું. શિક્ષણનું ગુજરાત મોડલ સારું કે દિલ્હી મોડલ તે અંગે ચર્ચા કરીએ. સ્થળ અને સમય તમે કહો એ.

કેજરીવાલની એજ્યુકેશન સિસ્ટમ ફેલ ગઈ - ભાજપ
શિક્ષણ માત્રે આપ અને ભાજપ સામસામે આવી ગયુ છે. ભાજપ દ્વારા દિલ્હીની શિક્ષણનીતિ પર અનેક સવાલો ઉઠાવીને ટ્વીટ કરવામાં આવી રહી છે. બીજેપી ટ્વીટ કરીને પૂછ્યુ કે, AAP સરકારે 20,000 ગેસ્ટ ટીચર્સને શા માટે છૂટા કર્યાં? અન્ય એક ટ્વીટમાં કહ્યુ કે, કેજરીવાલજીની એજ્યુકેશન સિસ્ટમ ફેલ ગઈ છે. કેજરીવાલ સરકાર વોકેશનલ ટ્રેનર્સનું શોષણ કરે છે. કેજરીવાલજીના નેતૃત્વમાં શિક્ષકો બેઠાં ધરણા પર...! તો બીજી તરફ દિલ્હી બીજેપીએ ટ્વીટ કરીને દિલ્હીમાં શિક્ષણ નીતિ પર સવાલો ઉઠાવ્યા છે. ટ્વીટમાં કહ્યું કે, આપની સરકારે લોકોને છેતર્યા છે. એક તરફ બેરોજગાર ભથ્થુ ન આપ્યું, ન તો ગેસ્ટ ટીચર્સને પગાર મળ્યો, ન તો આંગણવાડી કર્મચારીઓનુ માનદ વેતન વધ્યું, મતલબ પ્રચાર ઉપરાંત તમે કંઈ ન કરી શક્યા. દર વર્ષે તમારી પાસે અને શિક્ષા મંત્રી પાસે ગેસ્ટ ટીચર્સ પહોંચે છે, પરંતુ તમે માત્ર રાજનીતિમાં વ્યસ્ત રહો છે. આ શોષણ માટે કેજરીવાલ જવાબદાર છે. 

શાળામાં ગીતાના શિક્ષણ મામલે આવ્યા હતા આમને-સામને
તાજેતરમાં ગુજરાતમાં ગીતાના અભ્યાસક્રમના ગુજરાત સરકારના નિર્ણય મુદ્દે આમ આદમી પાર્ટીએ વાંધો ઉઠાવ્યો હતો. દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે, શાળાઓમાં શા માટે ગીતા ભણાવવામાં આવે? કામ રાવણ જેવું અને વાત ગીતાની કરો છે. જે લોકો ગીતાની વાત કરે છે તેઓ પોતાના જીવનમાં પણ ગીતાના સારનો અમલ કરે. ગીતાના વચનો અમલમાં લાવવાની સલાહ સાથે સિસોદિયાએ શાળાઓમાં ગીતાના શિક્ષણ સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે ગીતા પરના નિવેદન પર મનીષ સિસોદીયાને મંત્રી જગદીશ પંચાલે કરારો જવાબ આપ્યો છે. જગદીશ પંચાલે કહ્યુ કે, મનીષ સિસોદીયા ગીતાનું મહત્વ જાણતા નથી. ગીતા એ હિન્દુ સંસ્કૃતિનું સૌથી મહત્વનું પુસ્તક છે. સ્વામી વિવેકાનંદ વિશ્વ પ્રવાસે પણ ગીતા લઈને ગયા હતા. આગામી દિવસોમાં મનીષ સિસોદીયાને ગીતા વિશે ખ્યાલ આવશે. ગુજરાતની જનતા 2022માં મનીષ સિસોદીયાને જવાબ આપશે. 

ઉલ્લેખનીય છે કે, મનીષ સિસોદીયા પંજાબ ચૂંટણી જીત બાદ સતત ગુજરાતમાં શિક્ષણ પર સવાલો કરી રહ્યાં છે. તેમણે તાજેતરમા એક ટ્વીટમાં કહ્યુ હતું કે, ગુજરાતમાઁ ભાજપ શાસન દરમિયાન શિક્ષણની આવી હાલત છે. સ્કૂલોમાં 28,212 શિક્ષકો તેમજ હેડ ટીચરની અછત છે. કોલેજમાં 6903 પ્રોફસરની અછત છે. સ્કૂલોમાં 18000 ક્લાસરૂમ ઓછા છે. 6000 સરકારી સ્કૂલો મર્જરના નામે બંધ કરી દેવાઈ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું શિક્ષણ મોડલ આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More