Home> Gujarat
Advertisement
Prev
Next

ભાવનગરમાં આધેડની હત્યા, કૌટુંબિક ઝઘડાની દાઝ રાખી 5 શખ્સોએ કર્યો હુમલો

ભાવનગરના (Bhavnagar) ઘોઘામાં આધેડની હત્યા (Murder) થતાં સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે. આધેડ પર 5 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં આધેડનું મોત નીપજ્યું હતું

ભાવનગરમાં આધેડની હત્યા, કૌટુંબિક ઝઘડાની દાઝ રાખી 5 શખ્સોએ કર્યો હુમલો

નવનીત દલવાડી/ ભાવનગર: ભાવનગરના (Bhavnagar) ઘોઘામાં આધેડની હત્યા (Murder) થતાં સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે. આધેડ પર 5 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં આધેડનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ (Police) કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

fallbacks

ભાવનગરના (Bhavnagar) ઘોઘાના રામપર (ગોરિયાળી) ગામમાં આઘેડની હત્યાની (Murder) ઘટના સામે આવી છે. આ ઘટના બાદ સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે આ માલલે પોલીસે વધુ તપાસ હાથ ધરતા પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું હતું કે, જૂની અદાવતના કારણે આધેડની હત્યા કરાઈ છે. કૌટુંબિક ઝઘડાની (Family Quarrels) દાઝ રાખી 5 શખ્સો દ્વારા આધેડ પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:- દિલ્હીના DyCM ના આગમન પહેલા રાજકારણ ગરમાયું, સુરતના મોટા નામો AAP જોડાઈ તેવી શક્યતા

જો કે, આધેડને ઢીકાપાટું અને બોથડ પદાર્થ વડે માર મારતા તેનું મોત નીપજ્યું હતું. આ ધટનામાં તેજાભાઈ, ભુપતભાઈ, અશ્વિનભાઈ, જેરામભાઈ અને રતનાબેન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આધેડ પર હુમલો કરનાત તમામ લોકો મૃતકના નજીકના સંબંધીઓ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More