Home> Gujarat
Advertisement
Prev
Next

આખરે ભૂગર્ભમાંથી બહાર આવ્યા મંત્રીજી! પુત્રોની ધરપકડ બાદ મનરેગાકાંડ મામલે ખુલીને બોલ્યા બચુ ખાબડ

Dahod MANREGA Scam: દાહોદમાં નકલી NA કૌભાંડ બાદ મનરેગામાં કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. મંત્રી બચુભાઈના દીકરાએ સરકારનું કરોડોનું કરી નાંખ્યું છે. મંત્રીના પુત્રએ સરકારને કોરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. હવે મંત્રી પુત્રોની ધરપકડ બાદ નરેગા કોભાંડ મામલે મંત્રી બચું ભાઈ ખાબડ ખુલીને બોલ્યા હતા.

આખરે ભૂગર્ભમાંથી બહાર આવ્યા મંત્રીજી! પુત્રોની ધરપકડ બાદ મનરેગાકાંડ મામલે ખુલીને બોલ્યા બચુ ખાબડ

Dahod MANREGA Scam: મંત્રી પુત્રોની ધરપકડ બાદ નરેગા કોભાંડ મામલે મંત્રી બચું ભાઈ ખાબડ ખુલીને બોલ્યા હતા. પુત્રોના બચાવમાં Zee 24 કલાકની ટીમ દ્વારા મંત્રી પુત્રના પિતા એટલે રાજ્ય મંત્રી બચું ભાઈ ખાબડ સાથે ખાસ વાતચીત કરી હતી. તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે મનરેગા યોજના કોભાંડ નથી એ એક યોજના છે તે યોજનાના કામ લોકો પણ કરતા હોય છે અને અમારા લેબર અને કડિયા કામ કરતા લોકોને પણ મળતા હોય છે. આ યોજનામાં અમારા પર જે આક્ષેપ કરવામાં આવ્યો છે, અત્યારે આક્ષેપ છે પણ અમે ગુનેગાર નથી. એમાં અમારા છોકરાની પણ બે એજન્સીઓ છે. સાથે બારિયા ધાનપુર સાથે 35 એજન્સી છે. એમનું તો કોઈ નામ પણ લેતા નથી. અમે એકલા એમાં છીએ તેવું વાત કરી હતી. 

fallbacks

રાજ્યસરકારમાં મંત્રી છીએ એટલે પોલિટિકલ મને કઈ રીતે બદનામ કરી શકાય તેવા તત્વો આ કામ કરી રહ્યા છે, મારે કોઈના નામ લેવા નથી, જે FIR થઈ છે અને મેં મારા છોકરાને હાજર કરી દીધા છે. સરકારને અમે પૂરો સહયોગ આપી રહ્યા છીએ અને મારા છોકરા સહિત અમે પણ આપી રહ્યા છીએ. જે પણ તપાસની અંદર આવશે તે ગ્રાહ્ય છીએ. આ જુડિશિઅલ મેટર છે એટલે મારે કશું બોલવું નથી. 

આ બાબતમાં જે ચોક્કસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે તેઓ પર મને પૂરો ભરોસો છે. આજે જે આક્ષેપ કરવાવાળાઓ છે તે ખાલી આક્ષેપ કરી રહ્યા છે. બીજી એજન્સીઓના નામ લઈ રહ્યા નથી, માત્રને માત્ર મારા બે છોકરાઓની એજન્સીઓના નામ લઈ રહ્યા છે. ખરેખર વાસ્તવિકતામાં શું છે તે તપાસનો વિષય છે. બાકી આ કોર્ટ મેટર છે એટલે મારે કશું કહેવું નથી. 

zee 24 કલાક દ્વારા પૂછવામાં આવતા કે કોંગ્રેસ વારવાર આક્ષેપ કરી રહી છે કે આ મંત્રીના પુત્રો દ્વારા કરવામાં આવતો કૌભાંડ છે ત્યારે બચ્ચુ ખાભડનો જવાબ હતો કે એની માટેની તો તપાસ ચાલી રહી છે. તેઓ અત્યારથી નહીં છ મહિનાથી કરી રહ્યા છે. છ મહિનાથી તપાસ ચાલી રહી છે અને કૂવાને રેઢાણા ગામમાં તપાસ ચાલી રહ્યા છે અને કોંગ્રેસે જે સવાલ પૂછેલો અને રાજ્યકક્ષાના મંત્રી દ્વારા ગુજરાત વિધાનસભામાં તેનો જવાબ આપેલો અને આની અંદર સ્થળ પર કામો થયેલા છે અને મેં તેમને પણ કહેલું છે કે તમારા સ્થળ પર આવીને જોવું હોય તો જોઈ લો. 

અમારી એમાં કોઈ ના નથી..કામ થયું છે કે નથી થયું છે કે નથી થયું એ અમારી જવાબદારી નથી. મારા દીકરા માત્ર મટીરીયલ સપ્લાય તરીકે કામ કર્યું છે અત્યારે નરેગામાં કામ કરે છે. એવું નથી મારા દીકરા 35 વર્ષથી આ ઓપન માર્કેટમાં મટીરીયલ સપ્લાયનું કામ કરે છે, મકાનો છે કે બાંધકામનું કામ કરે છે કામ થયું છે કે નથી થયું તે ચકાસવાની જવાબદારી વહીવટી તંત્રની છે. એમાં અમારી કોઈ જવાબદારી નથી. તેઓ મંત્રી બચ્ચું ખાબડ દ્વારા જણાવવામાં આવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More