Home> Gujarat
Advertisement
Prev
Next

બે-બે વખત મોતના મુખમાંથી બચી ગયો છે આ યુવક; કહાની સાંભળીને સ્તબ્ધ થઈ જશો

Air India plane crash: 12 જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી લંડન જતું એર ઇન્ડિયાનું ફ્લાઇટ AI-171 ટેકઓફ થયાની થોડી જ સેકન્ડોમાં બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલની મેસ બિલ્ડિંગમાં ખડી ભાંગી.

બે-બે વખત મોતના મુખમાંથી બચી ગયો છે આ યુવક; કહાની સાંભળીને સ્તબ્ધ થઈ જશો

Air India plane crash: અમદાવાદની ભયંકર પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જ્યાં દેશભરની જનતાના દિલ હચમચી ગયા, ત્યાં ગોંડલના દેરડી (કુંભાજી) ગામના એક યુવકનો ચમત્કારિક બચાવ થયો છે. આ યુવકે ન માત્ર આ ભયાવહ દુર્ઘટનામાંથી જીવ બચાવ્યો, પરંતુ ગત વર્ષે એક ગમખ્વાર કાર અકસ્માતમાંથી પણ હેમખેમ બચી ગયો હતો. બે-બે વખત મોતના મુખમાંથી બચી નીકળેલા આ યુવકની આ કહાની દરેકને સ્તબ્ધ કરી દે તેવી છે. આ ભયંકર અકસ્માતમાં 241 મુસાફરો અને 24થી વધુ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોના જીવ ગયા. પરંતુ આ ભયાવહ દુર્ઘટનામાં ગોંડલના દેરડી (કુંભાજી) ગામના બી.જે. મેડિકલ કોલેજના વિદ્યાર્થી વેદ ભાવેશભાઈ ખાતરાનો ચમત્કારિક બચાવ થયો. વેદ તે સમયે મેસના પહેલા માળે જમી રહ્યો હતો, જ્યાંથી પ્લેન અથડાયું તે સ્થળથી તે માત્ર ચાર ટેબલ દૂર હતો.

fallbacks

વાદળોના ગડગડાટ-વિજળીના કડાકા સાથે દ.ગુજરાતમાં ભારે વરસાદ; આ વિસ્તારોમાં આભ ફાટ્યું!

વેદે આ ઘટના વિશે વાત કરતાં જણાવ્યું કે, "બપોરે જમવાનું શરૂ કર્યું ત્યાં અચાનક જોરદાર બ્લાસ્ટનો અવાજ આવ્યો. બધું ધૂળ અને ધુમાડામાં અદૃશ્ય થઈ ગયું. સીડી તરફથી પ્લેન બિલ્ડિંગમાં ઘૂસી ગયું હતું. થોડીવાર માટે કશું જ દેખાતું નહોતું. અમે બારીમાંથી કૂદવાનું વિચાર્યું, પણ તે યોગ્ય ન લાગ્યું. અમે સીડી તરફ ભાગ્યા, જ્યાં ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા હતા. અમે પાંચ જણાએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પણ કાટમાળ એટલો ભારે હતો કે અમે કંઈ ન કરી શક્યા." વેદે બ્લાસ્ટ અને શ્વાસ રૂંધાઈ જાય તેવા ધુમાડા વચ્ચે બચવાની આશા છોડી દીધી હતી, પરંતુ સીડી મારફતે બહાર નીકળીને તેણે સૌથી પહેલા પરિવારને ફોન કરી પોતે સુરક્ષિત હોવાની જાણ કરી.

'કોંગ્રેસ વિધાયક છું પરંતુ RSS સાથે પણ જોડાયેલો છું', દિગ્ગજ નેતાનો વીડિયો વાયરલ

વેદની આ ચમત્કારિક બચાવની ઘટના પહેલી નથી. ગત વર્ષે, 4 જૂન 2024ના રોજ, સામખિયાળી નજીક લાકડીયા ગામે નેશનલ હાઈવે પર તેના પરિવારની કારને ટ્રેલર સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં વેદના માતા-પિતા, 13 વર્ષનો નાનો ભાઈ, ફઈ, પિતાના ફઈ અને ડ્રાઈવર સહિત કુલ છ સ્વજનોનું મોત થયું હતું. આ અકસ્માતમાં વેદ, તેની બહેન અને ફઈનો દીકરો બચી ગયા હતા. આશ્ચર્યજનક રીતે બંને દુર્ઘટનાઓ બાદ વેદ 13 જૂનના રોજ ઘરે પરત ફર્યો હતો—ગયા વર્ષે 13 જૂન 2024ના રોજ અને આ વર્ષે 13 જૂન 2025ના રોજ.

આ રાશિ માટે આજનો દિવસ ચમકાવી શકે છે નસીબ, નોકરી સંબિધિત સમસ્યાનું થશે સમાધા

ભાવુક થઈને વેદે જણાવ્યું, "ગયા વર્ષે મેં મારા પરિવારના છ સભ્યો ગુમાવ્યા, અને આ વર્ષે મેં મારી નજર સામે અન્ય લોકોના સ્વજનો ગુમાવ્યા  આ બંને ઘટનાઓએ મારા જીવન પર ઊંડી અસર કરી છે. હું બચી ગયો, પણ મારા પરિવારના સભ્યોને ગુમાવ્યા. હું ભગવાનના આશીર્વાદ અને મારા વડીલોના દુઆથી બચી શક્યો."
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More