ઝી મીડિયા/બ્યૂરો :વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ (motera stadium) ની અંદર અને બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. કારણ કે, આજે મોટેરા સ્ટેડિયમનું રાષ્ટ્રપતિના હસ્તે ઉદઘાટન થવા જઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (ramnath kovind) ના હસ્તે નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનુ ઉદઘાટન થવાનું છે. ત્યારે આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેવાના છે. ત્યારે સમગ્ર સ્ટેડિયમ પાસે લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પોલીસ સિવાય 24 ફેબ્રુઆરીથી 300 ખાનગી સિક્યોરિટીના જવાનો પણ મેદાનની અંદર સુરક્ષા બંદોબસ્તમાં જોડાશે.
ભારત vs ઇંગ્લેન્ડ (india vs england) વચ્ચે રમાનારી પિંક બોલ ડે નાઈટ ટેસ્ટ મેચ પહેલા 11 વાગે મેદાનનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ (amit shah) દ્વારા મેદાનનું ઉદ્ધાટન કરાશે. આ માટે પોલીસ જવાનોને મેદાનની અંદર અને બહાર પોઇન્ટ ફાળવવામાં આવ્યા છે. તો બીજી તરફ, મોટેરા સ્ટેડિયમનની બહાર ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાન મોટેરામાં ડે નાઈટ - પિંક બોલ ટેસ્ટ મેચમાં સાક્ષી બનવા ક્રિકેટના ચાહકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. 6 વર્ષ બાદ નવા તૈયાર થયેલા મેદાનમાં ભારત vs ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચ નિહાળવા ક્રિકેટ રસિકો આતુર છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોંગ્રેસનું રમણભમણ થઈ ગયું, 175 માંથી 55 બેઠકો પર સમેટાઈ
આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. તો સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ભૂમિપૂજન કરાશે. 11.30 કલાકથી સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન તેમજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાના ઉદ્ધાટનનો કાર્યક્રમ શરૂ થશે. ગૃહમંત્રી અમિત શાહ, ખેલમંત્રી કિરણ રિજ્જુજી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ઉપસ્થિત રહેશે. ભારત vs ઈંગ્લેન્ડ વચ્ચે આજથી રમાનારી ત્રીજી પિંક બોલ - ડે નાઈટ ટેસ્ટ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. મોટેરા ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ઘાટન બાદ બપોરે 2.30 કલાકે ભારત vs ઈંગ્લેન્ડ વચ્ચેની ડે નાઈટ ટેસ્ટ મેચ શરૂ થશે. મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ તોડીને નવા તૈયાર થયેલા સ્ટેડિયમમાં 6 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. આજથી ભારત vs ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થતી ત્રીજી ટેસ્ટ બાદ ચોથી ટેસ્ટ મેચ તેમજ 12 માર્ચથી શરૂ થતી 5 T20 મેચ પણ અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 20 માર્ચના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ T20 મેચ રમાશે ત્યારબાદ 21 માર્ચે બંને ટીમ વન - ડે મેચ રમવા માટે પૂણે રવાના થશે. સ્ટેડિયમના ઉદઘાટન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ હાલ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે ભારત અને ઇંગ્લેન્ડ (india vs england) વચ્ચેની મેચ નિહાળીને અમદાવાદ એરપોર્ટથી સીધા દિલ્હી જવા રવાના થશે.
મોટેરા સ્ટેડિયમની સફર વિશે...
ગુજરાત ક્રિકેટ એસોસીએશન (GCA) દ્વારા અમદાવાદના મોટેરામાં તૈયાર કરાયેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. વર્ષ 2014માં GCAના પ્રેસિડેન્ટ તરીકે અને મુખ્યમંત્રી તરીકે તેમણે વિચાર મૂક્યો હતો કે 25 વર્ષ જૂનું મોટેરા સ્ટેડિયમ સંપૂર્ણપણે તોડીને તેની જગ્યાએ નવું સ્ટેડિયમ બનાવીએ. જે શ્રેષ્ઠતમ સુવિધાઓ સાથે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ હોય. ત્યારબાદ, GCAના પ્રમુખ તરીકે તેમના અનુગામી અને હાલમાં ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વિશાળ પ્રોજેક્ટની ધૂરા સંભાળી અને GCAના ભૂતપૂર્વ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી અને BCCIના સેક્રેટરી, એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન તથા GCAના પૂર્વ જોઇન્ટ સેક્રેટરી જય શાહે સંપૂર્ણ સહયોગ સાંપડ્યો. સપ્ટેમ્બર 28, 2019ના રોજ GCAનું નેતૃત્વ સંભાળવા માટે ઉપાધ્યક્ષ તરીકે ધનરાજ નથવાણીની આગેવાનીમાં ટીમ ચુંટાઈ અને આ ટીમે મોટેરા સ્ટેડિયમને આખરી ઓપ આપ્યો.
મોટેરા ખાતે નવનિર્મિત સ્ટેડિયમના મહત્વનાં પાસાં:
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે