હિમાંશુ ભટ્ટ/મોરબી :કોરોનાના કહેર વચ્ચે મોરબી જિલ્લા નવી આફતે દસ્તક આપી છે. મોરબીમાં મ્યુકોરમાઇકોસિસ (mucormycosis) ના કહેરના એંધાણ વર્તાઈ રહ્યાં છે. કોરોના હજી શમ્યો નથી, ત્યાં મ્યુકોરમાઇકોસિસના રોજના 20 કેસ મોરબીમાં નોંધાઈ રહ્યાં છે. કોરોના બાદ અતિજીવલેણ સાબિત થતો આ રોગ મોરબી જિલ્લામાં જેટગતિએ વધી રહ્યો છે. જેથી સમગ્ર જિલ્લામાં ચિંતા વધી ગઈ છે.
સૌરાષ્ટ્રભરમાં મ્યુકોરમાઈકોસિસના દર્દી વધ્યાં
મોરબી જિલ્લામાં મ્યુકોરમાઈકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લાં એક માહિનામાં મ્યુકોરમાઇકોસિસના 400 થી વધુ કેસ નોંધાયા છે. આ વિશે ડો.અલ્પેશ ફેફરે જણા્યું કે, ગત વર્ષે મોરબી જિલ્લામાં 10 થી 15 જેટલા આ રોગના કેસ દેખાતા હતા. ન માત્ર મોરબી, પરંતુ હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ વધી રહ્યા છે. જે ચિંતાજનક બાબત છે.
આ પણ વાંચો : ગુજરાતમાં લોકડાઉન તીવ્ર જરૂરિયાત વિશે એડવોકેટ શાલીન મહેતાએ હાઈકોર્ટમાં કહી મોટી વાત
સુરતમાં પણ આ ફંગલ ઈન્ફેક્શન વધી રહ્યું છે
સુરત શહેર સાથે ગ્રામ્યમાં પણ મ્યુકોરમાયકોસીસના કેસમાં પણ ખૂબ જ વધારો થયાનું નોધાયું છે. 40 વર્ષથી વધુ વયના દર્દીઓ કે જેઓ પહેલાથી ડાયાબિટિસ, કેન્સર, એચ.આઈ.વી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટસ ન્યૂટ્રોપેનિયા, લાંબાગાળાનું કોર્ટિકોસ્ટેરોઈડ, સાથે કીડની તકલીફ હોય તેઓની ઇમ્યુનીટી ઓછી હોવાથી તેમને આ જીવલેણ રોગ થઈ રહ્યો છે.
કોરોનાથી સાજા થયા બાદ કેટલાક લોકો મ્યુકોરમાઇકોસીસ બીમારીના શિકાર થઈ રહ્યા છે. આ બીમારીના લક્ષણોમાં દર્દીને શરદી, થોડા સમય પછી નાક બંધ થવું, રસી પડવી તેમજ અઠવાડિયા બાદ નાકમાં ગાંઠ થવાનો અહેસાસ થાય છે. દર્દી ઈલાજ માટે આવે ત્યારે નાકમાં ગાંઠ જોવા મળે છે, જેનો સિટી સ્કેન કરવું પડે છે. રિપોર્ટની મદદથી જ આ બીમારીના ફેલાવા અંગેની જાણકારી મળે છે. મ્યુકોરમાઇકોસીસ બીમારી દર્દીના અંગોમાં કેન્સર કરતા પણ ઝડપી પ્રસરે છે.
આ પણ વાંચો :ક્યાંયથી પણ ઓક્સિજન નથી મળતુ, તો આ મશીનથી હવે ઘરે જાતે હવામાંથી ઓક્સિજન બનાવો
મ્યૂકોરમાઈકોસીસના લક્ષણો
મગજ સુધી ફેલાય છે મ્યૂકોરમાઈકોસીસ
ખાલી શરદી થયા બાદ આ પ્રકારે સમસ્યા ઉભી થતી હોવાથી દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં સારવાર માટે આવે છે. અત્યાર સુધી સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી 43 ટકા એટલે 19 દર્દીઓને આંખમાં દેખવાનું બંધ થયાનું સામે આવ્યું છે, તો કેટલાક દર્દીઓને અંધાપો પણ આવ્યો છે. મ્યુકોરમાઇકોસીસનો ફેલાવો એક દર્દીના મગજમાં થયાનો પણ કિસ્સો સામે આવ્યો છે. વિદેશમાં મ્યુકોરમાઇકોસીસ બીમારીને કારણે મૃત્યુદર 50 ટકા જેટલો જોવા મળ્યો છે, જે હાલ સિવિલમાં 20 ટકા જેટલો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે