Air India Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશ: મૃતદેહોના ઓળખની કાર્યવાહી શરૂ થઈ છે. અત્યાર સુધી 5 મૃતદેહો પરિવારને સોંપાયા છે. હોસ્પિટલની બહાર સ્વજનોનું હૈયાફાટ રુદન જોવા મળી રહ્યું છે. આવામાં પ્લેન જ્યા ક્રેશ થયું ત્યા નીચે રહેલા લોકો હજી પણ મિસિંગ સ્થિતિમા છે. અમદાવાદના એક ભાઈ પોતાની માતા અને બે વર્ષની દીકરીને ગઈકાલથી શોધી રહ્યા છે, જેમની કોઈ ભાળ મળી નથી. નિસહાય હાલતમા આ યુવક હજી પણ પોતાના માતા અને બાળકીના બચવાની આશા લગાવી રહ્યાં છે.
મેઘાણીનગરમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ હજુ પણ કેટલાક પરિવારો તેમના સભ્યોની શોધખોળ કરી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલ પાસે રહેતો ઠાકોર પરિવાર સભ્યોને શોધવા બનાવ સ્થળ પર પહોંચ્યો છે. જે બિલ્ડીંગ પર પ્લેન પડ્યું તે બિલ્ડિંગમાં ટિફિન બનાવવા આવનાર સરિતાબેન હજી પણ ગુમ છે. સરિતાબેન અને તેમની બે વર્ષની પૌત્રી મળતા ન હોવાના પરિવારે આક્ષેપ કર્યો છે. સિવિલ સાથે વિવિધ હોસ્પિટલમાં પરિવાર શોધખોળ કરી ચૂક્યો છે. શોધખોળ છતાં પણ સરિતાબેન અને બે વર્ષની બાળકી મળી ન આવતા પરિવારના સભ્યો બનાવ સ્થળ પર શોધવા માટે પહોંચ્યા. ઠાકોર પરિવારના સરિતાબેન અને બે વર્ષની બાળકીને શોધવા માટે પોલીસને આજીજી કરી.
રવિકુમાર ઠાકુરે કહ્યું કે, આગ લાગી તો ખબર પડી કે પ્લેન મેસ પર પડયુ. બધા તરત જ ત્યાથી નીકળી ગયા છે. પણ મારી મમ્મી અને મારી દીકરી નથી મળ્યા. અમે આખી રાતથી સિવિલમાં તેમને શોધીએ છીએ, ત્યાં પણ નથી. પીએમ રૂમમા ગયા તો ત્યાં પણ નથી. હવે અમે અહી મેસમા ફરી જોવા આવ્યા હતા કે, પાછળના ભાગમા તેઓ છે કે નહિ. પાછળના ભાગે એક સીડી પડે છે, જેથી કદાચ તેઓ નીચે ઉતરી ગયા હોય, તેથી હાલ અમે જોવા માટે આવ્યા છીએ. તો અમને અંદર નથી જવા દેતા. અમાર એટલ જ જોવું છે કે કદાચ સીડીની નીચે ગયા હોય અને બચી ગયા હોય.
કોણ કોણ ગાયબ છે
રવિકુમારે વધુમા જણાવ્યું કે, મેસમા રહેલા બધા સ્ટુન્ટની ઓળખ થઈ ગઈ છે, હજી સુધી મમ્મી અને મારી બે વર્ષની દીકરી નથી મળી. મેડિકલની યુજી મેસમા મારી મમ્મી, મારી પત્ની, તથા હું કામ કરુ છું. સ્ટુડન્ટને અહી ખાવાનું ખાવા આપીએ છે. અમે સિવિલના વિદ્યાર્થીઓને ટિફિન સર્વિસ આપીએ છીએ. અમે એક વાગ્યે અહીથી ટિફિન ભરીને સિવિલમાં ગયા હતા, અને દોઢ વાગ્યે આ ઘટના બની હતી. ત્યારે મારી મમ્મી અને મારી દીકરી અંદર જ હતા. બાકીના ખાવાના બનાવનારા 25 જેલા માસીઓ બહાર નીકળી ગયા હતા. બધાનો ફોન આવ્યો છે. પણ મારી મમ્મી કે દીકરીનો કોઈ અત્તોપત્તો નથી. અમે બધે જ સપર્ક કર્યો છે, પણ કોઈ જવાબ મળ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, એર ઇન્ડિયાના અમદાવાદથી લંડન જતાં વિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટ મોર્ટમ રૂમમાં લાવવામાં આવી રહ્યા છે. પોસ્ટ મોર્ટમ રૂમમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદના પીએસસી અને સીએસસીના ડોક્ટર્સ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની તેમજ તેમની ટીમ સહિત ૭૦ થી ૮૦ ડોક્ટર્સ ગઈકાલથી ખડે પડે કાર્ય કરી રહ્યા છે.
પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહની ઓળખ થયા બાદ આ મૃતદેહને પરિવારજનો તેમજ તેમના સગાઓને સન્માનભેર સોપવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા એવા પાંચ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ મૃતદેહમાં ૨ રાજસ્થાન, ૨ ભાવનગર અને ૧ મધ્યપ્રદેશના મૃતકનો સમાવેશ થાય છે.
આમ, પોસ્ટ મોર્ટમ રૂમમાંથી જેમ જેમ પરિવારો મૃતદેહની ઓળખ કરી રહ્યા છે તેમ તેમ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે