Gujarat Tourism : અત્યાર સુધી એવું હતુ કે સિંહ જોવા હોય તો ગીર જંગલમાં જવું પડતુ. જુનાગઢનુ સાસણગીર સાવજોથી ભરેલું છે. પરંતું હવે ચિત્ર બદલાયું છે. સિંહો હવે પોતાના દાયરો વધારીને ગીર જંગલની બહાર નીકળ્યા છે. સિંહોની સીમા વિસ્તરી રહી છે. ત્યારે વધી રહેલા કોરિડોરને પગલે હવે સરકારે બૃહદ ગીરની જાહેરાત કરવાનું નક્કી કરી લીધું છે. ત્યારે શું છે આ બૃહદ ગીર તે જોઈએ.
બૃહદ ગીરની જાહેરાત ટૂંક સમયમાં થશે
સિંહોનો વિસ્તાર વધ્યો છે. બરડા, વેળાવદર અને કોડીનાર બોર્ડરથી સિંહો બહાર નીકળ્યા છે. વનરાજ જાતે જો પોતાના વિસ્તારનો વ્યાપ વધારી રહ્યાં છે. અત્યાર સુધી સિંહો 1500 ચોરસ કિલોમીટર કરતા ઓછા વિસ્તારમાં વિચરતા હતા. પંરતું હવે તેઓ 30000 ચોરસ કિલોમીટરમાં ફેલાયા છે. જેને પગલે પોરબંદર અને જામનગરની વચ્ચે બરડાના ડુંગરથી લઈને બોટાદ સુધી બૃહદ ગીર બનાવવાની સરકારની યોજના છે.
બૃહદ ગીરથી શું ફાયદો થશે
બૃહદ ગીરથી ગીરનો વિસ્તાર મોટો થશે, આ વિસ્તાર મોટો થવાથી ટુરિઝમને વેગ મળશે. સાથે જ આ વિસ્તારમાં નવી રોજગારી આવશે. ગ્રામીણ વિસ્તારોમાં ખેતરમાં દીવાલ બનાવવાના સરકારી લાભ મળી શકે છે. રોજગારીનું સર્જન થશે.
ગીરના સાવજો હવે માત્ર ગીરના જંગલોમાં નહિ પણ સૌરાષ્ટ્ર આખામાં
ગીરના સાવજો માટે હવે ગીરનો પનો ટૂંકો પડી રહ્યો છે. બરડામાં, પાંચાળના ડુંગરાળ વિસ્તારોમાં ઘણા સમયથી ગીરના સિંહો વિહરતા જોવા મળી રહ્યા છે. ગીરના સાવજો હવે ગીર જંગલના વિસ્તારને છોડી બૃહદ ગીર કે તેનાથી પણ આગળના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. આવી જેની અનેક ઘટનાઓ જોવા મળી છે.
કુદરતના ખજાનામાંથી કાઢેલા મોતી જેવા ગુજરાતના આ આઈલેન્ડ વિશે તમે જાણો છો?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે