ગાંધીનગર :ડિજીટલ ગુજરાતના નિર્માણ માટે નાગરિકોના વિશાળ હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં મોબાઈલ ચોરી જેવા સામાન્ય કિસ્સામાં પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા નાગરિકો હવે ભૂતકાળ બનશે. ગુજરાત પોલીસની મહત્વની સેવાઓ હવે ઓનલાઈન થવા જઈ રહી છે. વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ માટે e-FIR સેવા ઉપલબ્ધ થશે. FIR નોંધાયાના 48 કલાકમાં પોલીસ સામેથી ફરીયાદીનો સંપર્ક કરશે.
આ વિશે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સામાન્ય મોબાઈલની ચોરી થાય અને વ્યક્તિએ આખો દિવસ કામ ધંધા છોડીને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે તે આ ટેકનોલોજીના યુગમાં બિલકુલ સ્વીકાર્ય નથી. ત્યારે સામાન્ય કિસ્સામાં લોકોને પડતી આવી મુશ્કેલીઓને દૂર કરવા ગુજરાત પોલીસની તમામ મહત્વની સેવાઓ માટે પ્રજાલક્ષી નિર્ણય લઈને ઓનલાઈન કરવાની પહેલ હાથ ધરી છે. સરકારે આ ઓનલાઈન સેવાઓમાં વધુ એક સેવાનો ઉમેરો કરીને e-FIR સેવાનો પ્રારંભ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. હવે રાજ્યના નાગરિકોને વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરીયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. આ ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરીકો ઘરે બેઠા ઓનલાઈન ફરીયાદ નોંધાવી શકશે.
આ પણ વાંચો : હાર્દિક પટેલ જાય તેલ લેવા... જાણો કયા ધારાસભ્યએ આવુ કહીને ચોંકાવ્યા, જુઓ વીડિયો
ઘરે બેઠા આ 16 પોલીસ સેવાઓ મેળવી શકાશે
આ સેવા વિશે માહિતી આપતા તેમણે જણાવ્યુ કે, ઈ-ગુજકોપ ડેટાબેઝના ઉપયોગથી ગુજરાત સરકારે 2019 માં રાજ્યના નાગરીકો કેટલીક પોલીસ સેવાઓ ઓનલાઈન મેળવી શકે તે માટે સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ, સિટીઝન પોર્ટલ શરૂ કરેલ, જેથી ગુજરાત રાજ્યના નાગરિકો સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ અથવા સિટીઝન પોર્ટલ દ્વારા ઘરે બેઠા કુલ 16 પોલીસ સેવાઓ મેળવી શકે છે. જે અંતર્ગત સિનિયર સીટીઝન નોંધણી, ભાડુઆત નોંધણી, ઘરઘાટી નોંધણી, ગુમ થયેલ મિલકત નોંધણી, ગુમ થયેલ વ્યક્તિ નોંધણી, "Police NOC" વગેરે સેવાઓ ઉપલ્બધ છે.
પોલીસ 21 દિવસમાં રિપોર્ટ મોકલશે
FIR નોંધાયાના 48 કલાકમાં પોલીસ ફરીયાદીનો સામેથી સંપર્ક કરશે અને વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરીના બનાવની જ્ગ્યાની મુલાકાત લેશે. તથા ૨૧ દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલશે. આ ઓનલાઈન ફરીયાદ નોંધાયા અંગેની તથા તપાસમાં થયેલ પ્રગતિની જાણ પણ ફરીયાદીને Email/SMS થી કરવામાં આવશે. અને સાથો-સાથ પોલીસ દ્વારા વીમા કંપનીને પણ Email/SMS દ્વારા જાણ કરાશે જેથી ફરીયાદીને તેનો વીમા ક્લેઈમ સરળતાથી મેળવવામાં મદદરૂપ થશે.
આ પણ વાંચો : 7 ધારાસભ્યોએ કોંગ્રેસના પીઠમાં ભોંક્યુ ખંજર, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગથી પક્ષનો જ ખેલ કરી નાંખ્યો
આમ e-FIR ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરીકોને પોલીસ સ્ટેશન જઈ ફરીયાદ નોંધાવાની જરૂર નહીં રહે અને નાગરીકોના સમયનો બચાવ થશે તથા ફરીયાદોનો ત્વરીત નિકાલ થશે. આમ, e-FIR ઓનલાઈન સેવા રાજ્યના નાગરીકો માટે ખૂબ જ ઉપયોગી નિવડશે.
e-FIR સેવાના ગુજરાત રાજ્ય પોલીસ CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સાથે સંકલન કરવામાં આવ્યું છે. જ્યારે e-FIR નોંધાય ત્યારે ચોરાયેલ વાહનો કોઈ ગુનેગાર લઈને જાહેર રસ્તા પરથી પસાર થતાં હોય ત્યારે તે વાહન નંબર CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે તરત જ ફ્લેશ થશે. જેના થકી ચોરીના ગુના તુરંત જ ડિટેક્ટ થઈ શકશે.
આ પણ વાંચો : આજે ગુજરાતની તમામ ખાનગી હોસ્પિટલ હડતાળ પર, સારવાર માટે જવાના હોય તો ખાસ જાણી લો આ સમાચાર
e-FIR વિશે આ ખાસ ધ્યાન રાખજો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે