Republic Day 2025: આવતીકાલે એટલે કે 26મી જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. ગણતંત્ર દિવસ નિમિત્તે વીરતા પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે 942 જવાનોને શૌર્ય પુરસ્કાર આપવામાં આવશે. આ યાદીમાં અનેક પોલીસ અધિકારીઓ, ફાયર ઓફિસર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ સર્વિસના જવાનો અને અધિકારીઓના નામ સામેલ છે.
દેશના 942 જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવશે. જેમાં 95 જવાનોને વીરતા પદક, 101 જવાનોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને 746 જવાનોને સરાહનીય સેવા માટે ચંદ્રકથી સન્માનિત કરવામાં આવશે. આ લિસ્ટમાં ગુજરાતના 11 જવાનોનો નામ પણ સામેલ છે. જેમાં ગુજરાતના બે મોટા અધિકારીને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક (PSM) થી સન્માનિત કરવામાં આવશે.
પ્રજાસત્તાક દિવસ 2025ના પ્રસંગે ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ-11 પોલીસ અધિકારીઓ તથા જવાનોને મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે પોલીસ ચંદ્રકો માટે જાહેરાત કરાઈ છે. જેમાં 2 વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક તથા 09 પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો જાહેર કરાયા છે.
ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ-11 પોલીસ અધિકારીઓ તથા જવાનો..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે