જાવેદ સૈયદ/અમદાવાદ: અમદાવાદના પાલડી વિસ્તારમાં RSS દ્વારા આજે(રવિવારે) પદસંચાલનનું રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.દર વર્ષે સંઘ દ્વારા વિજયાદશમી બાદ શહેરાનાં વિવિધ વિસ્તારોમાં પદસંચાલનનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે અમદાવાદનાં સાત ભાગમાં પદસંચાલન યોજાય છે.
વધુ વાંચો...રોકાણકારોને ઉચું વળતર આપવાની લાલચ આપી મોડાસામાં કરોડોની ઉઠાંતરી
300 સ્વયંસેવકોએ પદસંચાલનમાં લીધો ભાગ
300 સ્વયંસેવકો પદસંચાલનમાં જોડાયા હતા. શહેરના અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાતા જુહાપુરા અને વેજલપુરમાં RSS દ્વારા નિકળેલી પદસંચાલનનું મુસ્લિમ બિરાદરોએ સ્વાગત કર્યું હતું. મુસ્લિમ બિરાદરોએ RSSના સ્વયંસેવકોનું ફૂલોથી સ્વાગત કર્યું હતું. આ સાથે જ આ રેલીમાં હિન્દુ અને મુસ્લિમોની એકતા પણ જોવા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે