હિતલ પારેખ/ગાઁધીનગર :રથયાત્રા અંગે ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે. ગુજરાત સરકારે શરતોને આધીન રહીને અને કરફ્યૂના પાલન સાથે અમદાવાદમાં રથયાત્રા કાઢવા માટે મંજૂરી આપી છે. વિવિધ નિયમોના પાલન સાથે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. કોરોનાનો ફેલાવો ન થાય તે માટે વિવિધ નિયમોનું પાલન કરવાનુ રહેશે તેવી માહિતી ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપી. સાથે જ તેમણે કહ્યું કે, રાજ્યની તમામ રથયાત્રાઓને આ નિયમો લાગુ પડશે.
ગૃહરાજ્યમંત્રી મીડિયા સંબોધનમાં કહ્યું કે, નામદાર કોર્ટના આદેશોને અનુસરીને ગત વખતે રથયાત્રા કાઢી શક્યા ન હતા. પણ આ વખતે કોરોનાની સ્થિતિને જોતા રિકવરી રટે 98.54 થયો છે. ગઈકાલે કોરોના કારણે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. કેસોની સંખ્યા પણ બિલકુલ ઘટી ગઈ છે. આ બધી પરિસ્થિતિનો અભ્યાસ કરીને કોરોના પ્રોટોકોલની જાળવણી સાથે જ રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં કોરોનાની મહામારીનો વ્યાપ ન વધે તેનું ધ્યાન રાખવામાં આવશે. લોકોની શ્રદ્ધા અને આસ્થા વચ્ચે પ્રોટોકોલના પાલન સાથે રથયાત્રા નીકળશે. કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે જગન્નાથની રથયાત્રા નીકળશે. અમદાવાદમાં 144 મી રથયાત્રા નીકળશે. આ માટે રથયાત્રાના સમગ્ર રૂટ પર કર્ફ્યૂ લગાવાશે. ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહેશે. તો CM અને DyCM પહિંદવિધિમાં હાજરી આપશે. કોવિડ પ્રોટોકોલ સાથે રથયાત્રા નીકળશે, જેમાં દર્શનાર્થીઓને પ્રવેશ નહિ અપાય. માત્ર પાંચ વાહનોને જ રથયાત્રામાં પરવાનગી અપાઈ છે. સાથે જ આ વર્ષે રથયાત્રામાં આ વખતે પ્રસાદ વિતરણ નહિ થાય.
અમદાવાદમાં કર્ફ્યુ ૧૯ કિલોમીટરની રથયાત્રા નિજ મંદિરથી પ્રસ્થાન કરીને પરત આવે ચારથી પાંચ કલાકના સમયગાળામાં પરત આવશે કેટલા સમય માટે જ કર્ફ્યુ રહેશે. પણ રથ મંદિર પહોંચે તે સાથે જ કરફ્યૂ સમાપ્ત થશે.
રથયાત્રાની સાથે આ બાબતોનું પાલન કરવાનું રહેશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે