હિતલ પારેખ/ગાંધીનગર :લોકડાઉન 4મા રાજ્યમાં અનેક છૂટછાટો મળી ગઈ છે. રસ્તા હાઈવે પર વાહનો દોડતા થયા છે. દુકાનો ખૂલી ગઈ છે. આવામાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉન 4 માં ખાનગી બસોની હેરફેરની મંજૂરી આપવામાં આવી નથી. આમ છતાં જો ખાનગી બસો હેરફેર કરતા નજરે પડશે તો તેને ડિટેઈન કરવાનો આદેશ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. ખાનગી બસો સમક્ષ સત્તાધીશોની મંજૂરી સાથે ફરી શકે છે. જો આવી મંજુરી વગર ફરતી દેખાશે તો પણ તેને ડિટેઇન કરવામાં આવશે તેવા આદેશો અપાયા છે.
સરકાર દ્વારા આપેલા આદેશમાં કહેવાયું છે કે, ગૃહ વિભાગના 18 મે 2020ના જાહેરનામામાંથી કરવામાં આવેલ હુકમ અનુસાર રાજ્યમાં સક્ષમ સત્તાધિકારીઓની મંજૂરી સિવાલ ખાનગી બસોને પરિવહનની મંજૂરી આપવામાં આવેલ નથી. આમ છતા જો મુસાફરોની હેરફેર માટે ખાનગી બસો રોડ પર ફરતી જોવા મળે તો તેને ડિટેઈન કરીને નિયમાનુસાર કાર્યવાહી કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે