Home> Gujarat
Advertisement
Prev
Next

PM Modi Gujarat Visit : મેગા રોડ શો બાદ ગાંધીનગરથી પીએમની ગર્જના, કાંટો કાઢીને જ રહીશું

PM Modi Gujarat Visit : ગાંધીનગરમાં રોડ શો બાદ આતંકવાદ પર બોલ્યા પીએમ મોદી.. કહ્યું, અમે નક્કી કર્યું છે કે, આ કાંટો કાઢીને જ રહીશું.. આ વખતે વીડિયો સાથે કાર્યવાહી થઈ, એટલે ઘરના લોકો પુરાવા ન માગે..

PM Modi Gujarat Visit : મેગા રોડ શો બાદ ગાંધીનગરથી પીએમની ગર્જના, કાંટો કાઢીને જ રહીશું

Gandhinagar News : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. સવારે રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ-શો કર્યો હતો. જેના બાદ મહાત્મા મંદિર અર્બન ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં હાજરી આપી હતી. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું હતું. આ બાદ તેમણે સંબોધન કર્યું હતું. 

fallbacks

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, હું ગુજરાતનો ઋણી છું. અહીંની માટીએ મને બનાવ્યો છે. તમે જે મંત્રો તમે મને આપ્યા. તેને હું ભારતના વિકાસ પાછળ લગાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મને ખુશી છે કે 20 વર્ષની શહેરી વિકાસના પર્વને ઉજવણીનો પર્વ નથી બનાવ્યો. પણ ગુજરાત સરકારે આવનારી પેઢી માટે આગામી 20 વર્ષનો રોડ મેપ બનાવ્યો. હું આ માટે મુખ્યમંત્રી અને તેમની સરકારને અભિનંદન પાઠવું છું. આજે આપણે દુનિયાની ચોથી મોટી ઇકોનોમી બન્યા છે. મને યાદ છે કે જયારે 6 થી 5 માં નંબરે આવ્યા. ત્યારે સૌથી વધુ ખુશી યુવાઓમાં હતી. એનું કારણ એ છે કે જેમણે 250 વર્ષ આપણા ઉપર શાસન કર્યું તેમને આપડે પાછળ મુક્યા. પણ આ વર્ષે ત્રીજા નંબર ઉપર આવવાનો પ્રેશર છે. 

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નીકળેલો આ રોડ શો લગભગ દોઢ કિલોમીટર લાંબો હતો, જે રાજભવનથી મહાત્મા મંદિર સુધી કાઢવામાં આવ્યો હતો અને હજારો લોકોએ તેમાં ભાગ લીધો હતો. આ બાદ પાકિસ્તાન પર જોરદાર હુમલો કરતા પીએમ મોદીએ કહ્યું, 'આપણે તે કાંટો દૂર કરીને જ રહીશું'.

આખું શહેર 'ભારત માતા કી જય' અને 'મોદી-મોદી' ના નારાથી ગુંજી ઉઠ્યું.
રસ્તાના કિનારે ઉભેલા હજારો લોકોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. ચારે બાજુ 'ભારત માતા કી જય' અને 'મોદી-મોદી' ના નારાઓથી વાતાવરણ ઉત્સાહી બની ગયું. લોકો ફૂલોના માળા, પાંખડીઓ અને ભગવા ધ્વજ સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા ઉભા હતા. ભાજપના સમર્થકોએ સમગ્ર રૂટને શણગાર્યો હતો, જેનાથી ઉત્સવનો માહોલ સર્જાયો હતો.

ગુજરાતમાં પીએમ મોદી ગર્જ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, "હું 2 દિવસ માટે ગુજરાતમાં છું. ગઈકાલે હું વડોદરા, દાહોદ, ભુજ, અમદાવાદ ગયો અને આજે ગાંધીનગર ગયો. હું જ્યાં પણ ગયો, ત્યાં દેશભક્તિની લહેર હોય તેવું લાગ્યું. ગર્જના કરતો સિંદૂરિયા સાગર અને લહેરાતો ત્રિરંગો એક એવું દૃશ્ય હતું, લોકોના હૃદયમાં માતૃભૂમિ પ્રત્યે અપાર પ્રેમનું દૃશ્ય. આ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતના દરેક ખૂણામાં છે."

તેના બાદ શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ ₹1,447 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાયું હતું. જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. અમદાવાદ ખાતે ₹1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. વડાપ્રધાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹1006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22,000થી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More