હિતલ પારેખ/ગાંધીનગર :આજે ચૂંટણી પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસ બંને માટે મહત્વનો દિવસ છે. બંને પક્ષો માટે મહત્વની ગણાતી સૌરાષ્ટ્રની બેઠકો માટે આજે પીએમ મોદી અને રાહુલ ગાંધી પ્રચાર કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે કોંગ્રેસના ગઢ ગણાતા અમરેલીમાં જાહેર સભાને સંબોધશે. તો રાહુલ ગાંધી બપોરે બે વાગ્યે જુનાગઢના વંથલીમાં અને ત્યાર બાદ ભૂજમાં ચૂંટણી સભાઓ સંબોધશે.
પરેશ ધાનાણીના ગઢમાં પીએમ મોદીની સભા
પીએમ મોદી આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં સભા સંબોધવા જઈ રહ્યાં છે. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અમરેલીમાં લોકસભા ચૂંટણીના ઉમેદવાર બન્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અમરેલી કોંગ્રેસના ઘર તરીકે ઉભરી આવ્યું હતું. અમરેલીમાં હાલ લેઉવા પાટીદાર વર્સિસ લેઉવા પાટીદારનો જંગ છે. અમરેલી હાલ સૌરાષ્ટ્રની કાંટે કી ટક્કર સમી બેઠક હોવાથી પ્રધાનમંત્રી મોદીની સભા અસરકારક બની રહેશે.
અમરેલી બેઠક માટે વિશેષ માહિતી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે