Home> Gujarat
Advertisement
Prev
Next

ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર ગુજરાત આવશે પીએમ મોદી, સરહદથી પાકિસ્તાનને આપશે કડક સંદેશ

PM Modi Gujarat Visit: 26 અને 27 મેનો પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે... જેમાં તેઓ કચ્છ, દાહોદ અને ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે  
 

ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર ગુજરાત આવશે પીએમ મોદી, સરહદથી પાકિસ્તાનને આપશે કડક સંદેશ

PM Modi Gujarat Visit: ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 મેના રોજ પહેલી વાર ગુજરાતની મુલાકાત લેશે. પીએમ મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદ, દાહોદ, ભૂજમાં કાર્યક્રમોમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. પીએમ મોદી ભૂજમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

fallbacks

આવું છે શિડ્યુલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને લઈ ગઈકાલે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. CM નિવાસ્થાને આયોજન સંદર્ભે બેઠક યોજાઈ હતી. જેમાં પીએમ મોદીના ગુજરાત પ્રવાસનું શિડ્યુલ સામે આવ્યું છે. તારીખ 26 અને 27 મેના રોજ પ્રધાનમંત્રી ગુજરાતમાં આવશે. 26 મેએ ગાંધીનગર રાત્રિ રોકાણ કરશે. કચ્છ, દાહોદ અને ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં હાજર રહેશે. આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 

પહેલગામ હુમલા પછી 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદી આકાઓને યોગ્ય જવાબ આપ્યા પછી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે. પીએમ મોદી કચ્છના અમદાવાદ, દાહોદ અને ભૂજની મુલાકાત લે તેવી શક્યતા છે. પીએમ મોદી કચ્છના ભૂજમાં એક જાહેર સભાને સંબોધિત કરશે. આ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. 

કૃષ્ણ નગરીને નશાકારક બનાવવાનું ષડયંત્ર, ઝડપાયું નશાકારક હેન્ડ સેનીટાઈઝરનું રેકેટ

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીનો સત્તાવાર કાર્યક્રમ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. તેને આખરે અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે દિવાળી પર પીએમ મોદી કચ્છની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે સર ક્રીક નજીક હરામી નાળા પાસે સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. ઓપરેશન સિંદૂરની સફળતા પછી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગયા અઠવાડિયે ભૂજ એરબેઝની મુલાકાત લીધી હતી.

સરહદી જિલ્લાઓમાં હુમલા થયા
પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુદ્ધ પૂર્ણિમાના દિવસે રાષ્ટ્રને સંબોધન કર્યું. આ પછી તેઓ આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. ત્યાંથી પીએમ મોદીએ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો હતો. હવે પીએમ મોદી પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાંથી પાકિસ્તાનને કડક સંદેશ આપી શકે છે. ગુજરાતના કચ્છ-બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓ પાકિસ્તાનની સરહદે આવેલા જિલ્લાઓ છે. લશ્કરી સંઘર્ષ દરમિયાન, પાકિસ્તાન દ્વારા આ જિલ્લાઓ પર ડ્રોનનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો હતો. જેનો ભારતે સારો જવાબ આપ્યો અને બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. પહેલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ લોકો માર્યા ગયા હતા. આમાંથી બે ભાવનગરના અને એક વ્યક્તિ સુરતનો હતો.

ગુજરાતની 23 હજારથી વધુ મિલકતો માટે સરકારનો મોટો નિર્ણય, મળશે માલિકી હક

કચ્છમાં તૈયારીઓ પૂરજોશમાં
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓપરેશન સિંદૂર પછી, પીએમ મોદી 25 મે થી 26 મે દરમિયાન ગુજરાતના પ્રવાસે રહેશે. આ સમયગાળા દરમિયાન, પીએમ મોદી કચ્છના ભૂજ, દાહોદ અને અમદાવાદમાં રોકાવાની અપેક્ષા છે. તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદી કચ્છના ભૂજ શહેરમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. 'ઓપરેશન સિંદૂર' પછી ગુજરાતમાં પીએમ મોદીનો આ પહેલો જાહેર કાર્યક્રમ હશે. ગુજરાત પ્રવાસ પછી, પીએમ મોદી ઉત્તર-પૂર્વનો પ્રવાસ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More