Home> Gujarat
Advertisement
Prev
Next

PM મોદીએ અટલ બ્રિજના ટિકિટની એ વાત કહી, જે આજ દિન સુધી કોઈ જાણતું ન હતું

PM Modi Speech : મોદીએ 55 મિનિટના ભાષણમાં કાંકરિયા-અટલબ્રિજની ટિકિટનું ખોલ્યું રહસ્ય... સાથે કાંકરિયાને લઇને પણ PM મોદીએ આપ્યું ચોંકાવનારું નિવેદન

PM મોદીએ અટલ બ્રિજના ટિકિટની એ વાત કહી, જે આજ દિન સુધી કોઈ જાણતું ન હતું

PM Modi Gujarat Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ-શો કર્યો હતો. જેના બાદ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું હતું. મહાત્મા મંદિર ખાતે સંબોધનમાં તેમણે અમદાવાદના અટલ બ્રિજની ટિકિટનો રસપ્રદ કિસ્સો જણાવ્યો. 

fallbacks

ચૂંટણી આવતી હોવા છતાં ટિકિટ લગાવી 
તેમણે સંબોધનમાં કહ્યું કે, અમદાવાદમાં અટલ બ્રિજ બનાવ્યો છે, ત્યાં મને ઉદ્ઘાટન માટે બોલાવવાાં આવ્યો હતો, કેટલાક કાર્યક્રમો હતો એટલે મને થયું કે, ચલો આપણે પણ અટલ બ્રિજ જોવા જઈએ, ત્યારે હું અટલ બ્રિજ પર ચાલવા માટે ગયો અને ત્યાં જોયું તો કેટલાક લોકોએ પાનની પિચકારી મારેલી હતી. હજુ તો ઉદ્ઘાટન બાકી હતો પરંતુ કાર્યક્રમ થઈ ગયો હતો. , ત્યારે મેં કહ્યું કે, આના પર ટિકિટ લગાવો. ત્યારે તમામ લોકો આવી ગયા અને કહેવા લાગ્યા કે, ચૂંટણી છે, અને થોડા ટાઈમમાં ચૂંટણી પણ હતી. તેમણે કહ્યું કે, ટિકિટ નહી લગાવી શકીએ. મેં આ લોકોને કહ્યું કે, ટિકિટ લગાવો બાકી તમારો આ અટલ બ્રિજ ખરાબ થઈ જશે.’

વાત આટલેથી અટકતી નથી. આગળ તેમણે જણાવ્યું કે, ‘પછી હું દિલ્હી ગયો અને બીજા દિવસે કોલ કરીને પૂછ્યું કે, કે ટિકિટનું શુ થયું અને કહ્યું કે, એક પણ દિવસ ટિકિટ વગર ન ચાલવો જોઈએ. આમ મારૂ માન-સન્માન રાખે છે અને તેમણે ટિકિટ લગાવી દીધી, આજે ટિકિટ પણ છે અને ચૂંટણી પણ જીત્યા છીએ અને તે અટલ બ્રિજ પણ ચાલી રહ્યો છે. મેં કાંકરિયાનું પુનઃ નિર્માણનું કામ કર્યું અને તેમા પણ ટિકિટ લગાવી, તો કોંગ્રેસે આંદોલન કર્યું, કોર્ટ સુધી પહોંચી ગયા. પરંતુ એ નાનકડા પ્રયાસે આજે કાંકરિયાને બચાવીને રાખ્યું છે.’

 

 

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, હું ગુજરાતનો ઋણી છું. અહીંની માટીએ મને બનાવ્યો છે. તમે જે મંત્રો તમે મને આપ્યા. તેને હું ભારતના વિકાસ પાછળ લગાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મને ખુશી છે કે 20 વર્ષની શહેરી વિકાસના પર્વને ઉજવણીનો પર્વ નથી બનાવ્યો. પણ ગુજરાત સરકારે આવનારી પેઢી માટે આગામી 20 વર્ષનો રોડ મેપ બનાવ્યો. હું આ માટે મુખ્યમંત્રી અને તેમની સરકારને અભિનંદન પાઠવું છું. આજે આપણે દુનિયાની ચોથી મોટી ઇકોનોમી બન્યા છે. મને યાદ છે કે જયારે 6 થી 5 માં નંબરે આવ્યા. ત્યારે સૌથી વધુ ખુશી યુવાઓમાં હતી. એનું કારણ એ છે કે જેમણે 250 વર્ષ આપણા ઉપર શાસન કર્યું તેમને આપડે પાછળ મુક્યા. પણ આ વર્ષે ત્રીજા નંબર ઉપર આવવાનો પ્રેશર છે. 

તેના બાદ શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ ₹1,447 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાયું હતું. જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. અમદાવાદ ખાતે ₹1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. વડાપ્રધાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹1006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22,000થી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More