હિતલ પારેખ/ગાંધીનગર :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 થી 20 એપ્રિલ સુધી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. તેઓ પ્રથમ દિવસે 18 મી એપ્રિલે પીએમ મોદી ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે. રાજ્યની 54 હજાર જેટલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 3 લાખ કરતા વધારે શિક્ષકો અને 1 .15 કરોડથી વધુ વિદ્યાર્થીઓ માટે એક જ સેન્ટર પરથી તમામ માહિતી પ્રાપ્ત થાય તે માટે ગાંધીનગર ખાતે આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર શું છે તે જાણીએ.
રાજ્યના મહાનગરોથી લઇને દુર્ગમ પહાડી પરના આદિવાસી વિસ્તારની સ્કૂલ, વિદ્યાર્થી, શિક્ષકોનું સીધું મોનિટરિંગ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં ઊભા કરાયેલા વિદ્યા સમીક્ષા કેન્દ્ર પરથી થાય છે. ઓનલાઈમ પોર્ટલ મારફતે હાજરી પૂરવામાં આવે છે. વિદ્યાર્થી-શિક્ષક અને શાળાલક્ષી વાર્ષિક 500 કરોડ ઉપરાંતના ડેટા શિક્ષણ વિભાગને શાળા કક્ષાના ઉપલબ્ધ થાય છે. ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્કૂલના નિરીક્ષણના કારણે અંતરિયાળ વિસ્તારની શાળા-શિક્ષક અને વિદ્યાર્થી સુધી પહોંચવા માટે ચોક્કસ શાળાઓનો જૂથ બનાવીને તેમા કો-ઓર્ડિનેટર તરીકે શિક્ષકને નિમાયા છે. મોડી હાજરી પુરી હોઇ કે કયો વિદ્યાર્થી ગેરહાજર કે હાજર છે તેની વિદ્યા સમીક્ષા કેન્દ્ર પરથી જ ખબર પડે છે.
આ પણ વાંચો : જનતાને વધુ એક ઝટકો, Adani એ મહિનામાં બીજીવાર CNG ના ભાવ વધાર્યાં
આ પણ વાંચો : PM મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કર્યા વખાણ, પત્ર લખીને શુભેચ્છાઓનો વરસાદ કર્યો
આ રહ્યુ પીએમનુ 3 દિવસનું શિડ્યુલ
PM મોદીનું મિશન ગુજરાત
વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં PM મોદી ત્રણ દિવસના પ્રવાસે આવવાના છે. તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. બનાસકાંઠા, જામનગર અને દાહોદમાં તેમના વિવિધ કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન WHOના વડા અને મોરેશિયસના PM પણ ગુજરાત આવશે. આ ઉપરાંત તેઓ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં ઓનલાઈન હાજરી આપી રહ્યાં છે. 12 એપ્રિલે અડાલજમાં અન્નપૂર્ણાધામ ટ્રસ્ટની છાત્રાલયનું ઉદ્ઘાટન કર્યું. 10 એપ્રિલે જૂનાગઢના ગાંઠિલામાં મા ઉમાના માહાપાટોત્સવમાં જોડાયા. 11 માર્ચે તેઓ અમદાવાદ-ગાંધીનગર આવ્યા હતા. જ્યાં અમદાવાદ-ગાંધીનગર PM મોદીએ ભવ્ય રોડ-શો કર્યો હતો. તેમણે ગુજરાતની કેસરી ટોપીને દેશભરમાં ઓળખ અપાવી. ગુજરાતમાં ટિફિન બેઠકો શરૂ કરવા ટકોર કરી ફરી શરૂ કરાવી. 29 માર્ચે ગુજરાતના સાંસદો સાથે PMએ બેઠક યોજી. ત્યારે ગમે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે તે પહેલા પીએમ ગુજરાતમાં એક્ટિવ થઈ ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે