PM Modi Gujarat Visit: જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના સ્વાગતમાં મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ, મેયબેન ગરસર, જામનગરના મેયર વિનોદભાઇ ખીમસૂરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, રિવાબા જાડેજા, દિવ્યેશભાઇ અકબરી, ચીફ સેક્રેટરી પંકજ જોશી, DGP વિકાસ સહાય, એરફોર્સના ગ્રુપ કેપ્ટન સૌરભ પારિજાત, કલેકટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, અગ્રણી રમેશભાઇ મુંગરા અને ડો.વિમલભાઇ કગથરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
PM મોદીઆવતીકાલે વનતારાની લેશે મુલાકાત
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે સવારે વનતારાની મુલાકાત લેશે. ત્યાંથી તેઓ સોમનાથ જવા રવાના થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે; જામનગર, જૂનાગઢ અને સોમનાથની લેશે મુલાકાત#pmmodi #pmmodiingujarat #jamnagar #gujarat #zee24kalak pic.twitter.com/KRgfjp61f2
— Zee 24 Kalak (@Zee24Kalak) March 1, 2025
વડોદરાના 30 કોર્પોરેટરો જનતાના નાણાંથી કરશે જલસા, સિક્કિમમાં 2 દિવસની લેશે તાલિમ
PMની ઉપસ્થિતિમાં વર્લ્ડ વાઇલ્ડ લાઈફ-ડેની કરાશે ઉજવણી
વડાપ્રધાનના જામનગર આગમન બાદ સાંસદ પૂનમબેન માડમ અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની Zee 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે સાંસદ અને કેબિનેટ મંત્રીએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનની ગુજરાતની મુલાકાત વાઈલ્ડ લાઈફ અને પર્યાવરણ માટે મહત્વની સાબિત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગરના વનતારાની મુલાકાત લેશે. બીજા દિવસે વડાપ્રધાન દ્વારા સાસણગીર ખાતે મુલાકાત લઈ મહત્વની બેઠક યોજશે. સાસણગીર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વર્લ્ડ વાઇલ્ડ લાઈફ-ડેની ઉજવણી કરવામાં આવશે.
જામનગર એરપોર્ટ પર PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, સાંસદ પૂનમબેન માડમ અને મંત્રી મુળુભાઈ બેરા સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત#pmmodi #pmmodiingujarat #jamnagar #gujarat #zee24kalak pic.twitter.com/bBNjmtpiXK
— Zee 24 Kalak (@Zee24Kalak) March 1, 2025
શનિ અને મંગળ બનાવી રહ્યા છે નવપંચમ રાજયોગ, આ 3 રાશિઓને ચમકશે કિસ્મત; થશે ધનવર્ષા
પ્રધાનમંત્રી મોદીનો 02 માર્ચ 2025નો કાર્યક્રમ
સવારે 5.45 વાગે હોટેલમાંથી નિકળશે.
સવારે 6.30 વાગે વનતારામાં પહોંચશે.
સવારે 6.30 વાગ્યા સુધી 12.45 વાગ્યા સુધી વનતારમાં રોકાશે.
બપોરે 12.45 વાગે વંતારાથી બાયરોડ નિકળશે.
બપોરે 12.55 વાગે વનતારા હેલીપેડ પર પહોંચશે.
બપોરે 01.00 વાગે વનતારા હેલિપેડથી જશે.
બપોરે 2.05 વાગે સોમનાથ હેલિપેડ પહોંચશે.
બપોરે 2.15 વાગે સોમનાથ મંદિર પહોંચશે.
બપોરે 2.15 વાગ્યાથી 2.45 વાગ્યા સુધી દર્શન પૂજા કરશે .
બપોરે 02.45 વાગ્યાથી 3.30 વાગ્યા સુધી રીઝર્વ.
બપોરે 3.35 વાગ્યાથી સોમનાથ હેલિપેડથી હેલિકોપ્ટરમાં રવાના થશે.
સાંજે 4.05 વાગે ગીર હેલિપેડ ઉતરશે.
સાંજે 4.10 વાગે હેલિપેડથી સાસણગીર જવા રવાના થશે.
સાંજે 4.15 વાગે સિહ સદન પહોંચશે અને રાત્રી રોકાણ કરશે.
સાંજે 4.15 વાગ્યાથઈ 5.00 વાગ્યા સુધી બેઠક યોજશે.
સાંજે 5.00 વાગ્યાથી રીઝર્વ રાત્રી રોકાણ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે