અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2જી ઓક્ટોબર એટલે કે ગાંધીજયંતિના દિવસે ગુજરાતની મુલાકાતે આવશે. સાંજે સાંજે 5 વાગ્યાની આસાપાસ વડાપ્રધાન અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ ખાતે આગમન કરશે. જ્યારે અડધો કલાક સાબરમતી આશ્રમ (Sabarmati Ashram)માં વિતાવીને રિવરફ્રન્ટ (Riverfront) ખાતે યોજાનારા સરપંચ સંમેલન (Sarpanch Sammelan)માં ઉપસ્થિત રહેશે. રાત્રે 9 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી દિલ્હી (Delhi) જવા રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે
અમદાવાદ એરપોર્ટ ખાતે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થશે અને જનસભાને પણ પીએમ મોદી સંબોધન કરશે. અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય જનસભાનું આયોજન પ્રદેશ ભાજપ દ્વારા થઇ રહ્યું છે. પીએમ મોદીના અમેરિકા પ્રવાસની ભવ્ય સફળતાને લઇને તેમનું સ્વાગત થશે. પીએમ મોદી એરપોર્ટ પર સંબોધન કર્યા બાદ ગાંધી આશ્રમ પહોંચશે. જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાજંલિ અને સુતરની આંટી પહેરાવશે. પીએમ મોદી લગભગ 20 મીનિટ સુધી સાબરમતી ગાંધી આશ્રમ ખાતે વિતાવશે. ત્યારબાદ રીવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે સરપંચોના સંમેલનને સંબોધન કરશે. જેમાં ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત દેશ જાહેર કરાશે. મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના વિચારને આ ભેટ હશે. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિને લઇને આ જાહેરાત થશે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે