Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના એક વ્હોટ્સઅપ ગ્રુપમાં શહીદોની શહાદતનું ઘોર અપમાન કરતી પોસ્ટ, મચ્યો હડકંપ

શહીદોની શહાદતનું અપમાન કરતી પોસ્ટ નેતાઓના વ્હોટ્સઅપ ગ્રુપમાં થઇ પોસ્ટ, કોઇએ ન ઉઠાવ્યો વાંધો

ગુજરાતના એક વ્હોટ્સઅપ ગ્રુપમાં શહીદોની શહાદતનું ઘોર અપમાન કરતી પોસ્ટ, મચ્યો હડકંપ

અમદાવાદ: જમ્મૂ કાશ્મીરના પુલવામામાં આતંકી કૃત્યના કારણે દેશભરમાં રોષ ભભૂકી રહ્યો છે. પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ દેશવાસીઓ અને શહીદોના પરિવાર કરી રહ્યાં છે. ત્યારે દેશમાં જ બેઠેલા ગદ્દારો રાષ્ટ્ર વિરોધી ટિપ્પણી કરી રહ્યાં છે. કરોડો ભારતીયો શોકમાં છે તે સમયે આવું જ એક કૃત્ય જોવા મળ્યું ગુજરાતના વ્હોટ્સઅપ ગ્રુપમાં. ગુજરાત લોકમંચ નામના એક વ્હોટ્સઅપ ગ્રુપમાં શહીદોનું અપમાન કરતી પોસ્ટ કરવામાં આવી છે.

fallbacks

વધુમાં વાંચો: દેશમાં જ બેઠા છે ગદ્દારો! રાષ્ટ્ર વિરોધી ટિપ્પણી બદલ ફાર્મા કંપનીના બે કર્મચારીઓ સસ્પેન્ડ

પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની શહાદતને લોક શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે. ત્યારે દેશમાં જ બેઠેલા ગદ્દારો રાષ્ટ્ર વિરોધી ટિપ્પણી કરી રહ્યાં છે. જેમાં ગુજરાત લોકમંચ વ્હોટ્સઅપ ગ્રુપમાં શહીદોનું અપમાન કરતી મનન ત્રિવેદી નામના વ્યક્તિ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, #Vivek Pandey# શહાદત પર ગર્વ કરના બંધ કરીએ. સવાલ કરીએ. આ ગ્રુપમાં શહીદોની શહાદત પર સવાલો ઉઠાવતા તેની માનસિકતાનો પરિચય આપ્યો છે.

fallbacks

(આ વ્હોટ્સઅપ ગ્રુપમાં બંને પક્ષના દિગ્ગજ નેતાઓ પણ સામેલ છે)

વધુમાં વાંચો: સોલા ભાગવત વિદ્યાપીઠમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શહીદ જવાનોને આપી શ્રધ્ધાંજલી

જો કે, ગુજરાત લોકમંચ નામના વ્હોટ્સઅપ ગ્રુપમાં કરવામાં આવેલી પોટ્સ મુદ્દે ચોંકવાનારી બાબત એ છે કે, આ ગ્રુપમાં 256 સભ્યો છે. જેમાં કોંગ્રેસ અને ભાજપ સહિતના દિગ્ગજો આ ગ્રુપમાં સામેલ છે. અને ગ્રુપમાં આ પોસ્ટ અનેક નેતાઓએ વાંચી તો ખરી પરંતુ ગ્રુપમાંથી કોઇ પણ નેતાએ આ પોસ્ટ કરનારને ગ્રુપમાંથી લેફ્ટ થવાનું કે કડક સંદેશ આપવાનું મુનાસીબ સમજ્યું નથી. ત્યારે બીજી બાજુ આ પહેલા પણ સોશિયલ મીડિયામાં અમદાવાદની ઝાયડસના ઇકલાબ હુસેન અને મુંબઇની મેકલોડ્સ ફાર્મા કંપની રિયાઝ અહેમદે પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઇને ટિપ્પણી કરતા કહ્યું કે, ‘આને કહેવાય સર્જિકલ સ્ટ્રાઇક’.

વધુમાં વાંચો: પુલવામામાં શહીદ થયેલા જવાનોના માનમાં ગુજરાતમાં વેપારીઓનું આજે બંધનું એલાન

આ ઘટનાને પગેલ ઝાયડ્સ અને મેકલોડ્સ ફાર્મા કંપની દ્વારા આ બંને કર્મચારીઓને રાષ્ટ્ર વિરોધી ટીપ્પણી કરતા તેમને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને તેમને તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગઇકાલે નવજોત સિંહ સિદ્ધુએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, આ ખુબજ દુ:ખદ ઘટના છે. જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. તેમણે તેમની કાયરતાનો પરિચય આપ્યો છે. પરંતુ વાતચીત દ્વારા આ સમસ્યાનું સમાધાન લાવવું જોઇએ.

fallbacks

(શહીદોનું અપમાન કરતી પોસ્ટ કરનાર મનન ત્રિવેદીએ ગ્રુપમાં માગી માફી)

વધુમાં વાંચો: સુરત: શહીદોના માનમાં યોજાઇ કેન્ડલ માર્ચ, આર્થિક મદદ માટે ભેગું કરાયું ભંડોળ

નવજોત સિંહ સિદ્ધુના તેમનું નિવેદન આપતા એવું પણ કહ્યું હતું કે, આપણે સંયમથી કામ લેવું જોઇએ અને જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે, તેમને સજા મળવી જોઇએ. નવજોત સિંહ સિદ્ધુના આ નિવેદન બાદ ભારતીય જનતા રોષ વ્યક્ત કર્યો હતો અને તેની ટીકા કરતા નવજોત સિંહ સિદ્ધુને ‘ધ કપિલ શર્મા શો’થી બહાર કાઢી મુકવાની વાત કરી રહ્યાં છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More