અર્પણ કાયદાવાલા, અમદાવાદ: કોરોના સામેની લડતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોવિડ 19 માટે 25થી વધુ ખાનગી હોસ્પિટલ તૈયાર કરી છે. એએમસીના ખાનગી હોસ્પિટલો તૈયાર કરવાના નિર્ણય સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કોર્પોરેશન પાસે વીએસ હોસ્પિટલમાં 500 બેડની વ્યવસ્થા હોવા છતાં તેનો ઉપયોગ શાં માટે નથી નથી અને ખાનગી હોસ્પિટલો તૈયાર કરાયા છે.
રાજકોટ: કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા માટે માર્કેટિંગ યાર્ડનો મોટો નિર્ણય
ચાલુ વર્ષે વીએસ હોસ્પિટલનું 500 બેડનું બજેટ મંજૂર પણ કરવામાં આવ્યું છે. વીએસ હોસ્પિટલ બંધ નહીં થાય તેવું ભાજપના શાસકો અનેકવાર કહી ચૂક્યા છે. વીએસ હોસ્પિટલમાં 500 બેડ હોવા છતાં શાં માટે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી તેવા ગંભીર સવાલ ઊભા થયા છે. જો વીએસ કાર્યરત છે તો તેનો ઉપયોગ કેમ થતો નથી. વીએસ હોસ્પિટલ હોવા છતાં કોર્પોરેશન દ્વારા કોવિડ 19 માટે 25થી વધુ ખાનગી હોસ્પિટલો તૈયાર કરવામાં આવી છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે હાલ ગુજરાતમાં કોરોનાનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જે તાજા આંકડા જાહેર કરાયા તે મુજબ ગુજરાતમાં શનિવારે કોરોના વાયરસના 394 નવા કેસ આવ્યાં. આ સાથે કોરોના વાયરસનો કુલ આંકડો 7797 પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના કારણે 472 લોકોએ જીવ ગુમાવ્યાં છે. અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ દર્દીઓ 5540 અને ત્યારબાદ સુરતમાં 854 છે. સુરતમાં અત્યાર સુધી 38 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે