ચેતન પટેલ, સુરત: આજે સુરત અને વડોદરા વચ્ચે આવેલા કોસડા અને ગોઠાણ ગામ વચ્ચે ગડરની કામગીરીને કારણે આજે બપોરે રેલવે દ્વારા 1:50થી 6:30 કલાક સુધી બ્લોક રહેશે. બ્લોકને કારણે કેટલીક ટ્રેનો 30 મિનિટથી લઇને 4 કલાક મોડી પડશે. તો આ બ્લોકના કારણે 6 ટ્રેનો રદ કરવામાં આવી છે. સુરતથી જામનગર ટ્રેન રદ કરવામાં આવી છે. જ્યારે જામનગર ઇન્ટરસિટી અમદાવાદથી રવાના કરાશે. મુંબઈ સેન્ટ્રલ- પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 3 કલાક મોડી ચાલશે. જેને લઇને રેલ મુસાફરી પ્રભાવિત થશે. વેકેશનના સમયે ટ્રેન મુસાફરીમાં ફેરફરા થવાથી મુસાફરોને ભારે હાલાકીનો સમાનો કરવો પડશે.
વધુમાં વાંચો: ફાની વાવાઝોડાના કારણે જામનગરના 400 પ્રવાસીઓ પુરી નજીક અટવાયા
6 ટ્રેનો રદ્દ કરાય
વધુમાં વાંચો: ભ્રષ્ટાચાર ડામવા ACBના સફળ પ્રયત્નો, જાણો છેલ્લા 5 વર્ષનો સમગ્ર અહેવાલ
ટ્રેનો 30 મિનિટથી લઇને 4 કલાક મોડી પડશે
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે