Home> Gujarat
Advertisement
Prev
Next

અશોક ગેહલોતે ગુજરાતના સીએમ વિજય રૂપાણીને આ રીતે યાદ કરાવ્યો રાજધર્મ

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને ગુજરાતના સીએમ વિજય રૂપાણી એક-બીજા પર સતત નિવેદનો આપી રહ્યા છે.

અશોક ગેહલોતે ગુજરાતના સીએમ વિજય રૂપાણીને આ રીતે યાદ કરાવ્યો રાજધર્મ

જયપુર: મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) ગુજરાતના સીએમ વિજય રૂપાણી(Vijay Rupani)ને લઇને એક ટ્વિટ કરી છે. આ ટ્વિટમાં રાજસ્થાનના સીએમે ગુજરાતના મુખ્યમંત્રી(Gujrat Chief Minister)ને રાજધર્મ યાદ કરાવ્યો છે. 

fallbacks

ગેહલોતે તેની ટ્વિટમાં કહ્યું કે, ગુજરાતના સીએમ રૂપાણી જાણે છે કે, ગુજરાતમાં દારૂની તસ્કરી થઇ રહી છે. પાડોશી રાજ્યોમાંથી જ દારૂની તસ્કરી કરવામાં આવી રહી છે. ટ્વિટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, રૂપાણીએ તેમના પાડોશી રાજ્યો જેવા કે હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન સાથે સમન્વય રાખવો જોઇએ.

fallbacks

પીએમ મોદીને પત્ર લખનાર 50 હસ્તિઓ વિરુદ્ધ નોંધાયેલ દેશદ્રોહનો કેસ બંધ કરવાનો આદેશ

ગેહલોતે તેમની ટ્વિટમાં ગુજરાતમાં થઇ રહેલી દારૂની તસ્કરી અંગે જણાવ્યું કે, રૂપાણીએ આ અંગે પાડોશી રાજ્યો સાથે વાત કરવી જોઇએ. ગેહલોતે પંજાબના સીએમને ડ્રગ્સ મામલે આ પ્રકારની વાત કરી હતી, સાથે જ કહ્યું કે ગુજરાત સરકાર અને રૂપાણીએ પણ આ પ્રકારને કાર્ય કરવું જોઇએ.

મહત્વનું છે કે ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ રાજસ્થાનના સીએમ ગેહલોતનાએ નિવેદન પર પ્રહાર કર્યા હતા. જેમાં ગેહલોકે કહ્યું હતું કે, ગુજરાતમાં સહેલાઇથી દારૂ મળી જાય છે. 

જ્યોતિરાદિત્ય સિંધિયાનું મોટું નિવેદન, કહ્યું- કોંગ્રેસે આત્મ અવલોકન કરવાની જરૂર છે

રૂપાણીએ ગેહલોતના આ પ્રકારના નિવેદન પર કહ્યું કે, એ વાત સીધી રીતે દેખાઇ રહી છે, કે કોંગ્રેસના નેતાઓને ગુજરાતના લોકો પસંદ નથી આવી રહ્યા, જેમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને પીએમ નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે, ગુજરાતના સીએમ રૂપાણીએ આ પ્રકારના નિવેદન પર અશોક ગેહલોતને ગુજરાતના લોકોની માફી માગવાની વાત પણ રહી હતી, રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ 2017ની વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ સતત આ પ્રકારના નિવેદનો કરી રહી છે. 

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More