મૌલિક ધામેચા/અમદાવાદ : રાજકોટ પોલીસ કમિશ્નરની કારને અકસ્માત નડ્યો છે. સાણંદ-બાળવા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે નાની દેવતી ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસ કમિશ્નર રાજકોટ જઇ રહ્યા હતા તે દરમિયાન ગાડીને અકસ્માત નડ્યો હતો. બાઇક ચાલક કારમાં ઘુસી ગયો હોવાનું હાલ પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે.
મનોજ અગ્રવાલ ગાંધીનગરથી રાજકોટ જઇ રહ્યા ત્યારે આ ગોઝારો અકસ્માત બન્યો હતો. મળતી માહિતી અનુસાર બાવળાના બીસુ ખાન મલેક પોતાની પુત્રવધુને સાસરે મુકવા જઇ રહ્યા હતા. દરમિયાન બાઇક અને કમિશ્નરની સરકારી કાર વચ્ચે ટક્કર થઇ હતી. હાલ બીસુ ખાન મલેકનો મૃતદેહ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે પાછળ બેઠેલી પુત્રવધુને પણ ઇજાઓ થઇ હતી. જેના કારણે તેમની સારવાર ચાલી રહી છે.
ગુજરાત આંદોલનના માર્ગે: ગૌશાળા સંચાલકો સરકારી કાર્યાલય બહાર ગાય છોડી રણશિંગુ ફૂંક્યું
જો કે રાજકોટ કમિશ્નર મનોજ અગ્રવાલની કારને થયેલા અકસ્માત અંગેનાં ચોક્કસ કારણો સામે આવ્યા નથી. પરંતુ ગ્રામ્ય વિસ્તાર હોવાથી બાઇક સવાર રસ્તો ક્રોસ કરવા જઇ રહ્યો હોય ત્યારે પોલીસ કમિશ્નરની ગાડીને અકસ્માત થયો હોય તેવી શક્યતા હાલ તો સેવવામાં આવી રહી છે. હાલ તો કમિશ્નરને સામાન્ય ઇજાઓ થઇ છે. જો કે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે