Home> Gujarat
Advertisement
Prev
Next

'ઓપરેશન સિંદૂર' બાદ ગુજરાત પહોંચશે રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભુજ એરબેઝની લેશે મુલાકાત

પાકિસ્તાન સામમે સીઝફાયર બાદ ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ શુક્રવારે ભારત-પાકિસ્તાન સરહદનો પ્રવાસ કરશે. રાજનાથ સિંહ કચ્છના ભુજ એરબેઝની પણ મુલાકાત લેશે.

'ઓપરેશન સિંદૂર' બાદ ગુજરાત પહોંચશે રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભુજ એરબેઝની લેશે મુલાકાત

ભુજઃ પાકિસ્તાન અને તેના આતંકીઓ વિરુદ્ધ ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર સફળ રહ્યું છે. થોડા સમયના હુમલામાં ભારતની સેનાએ પાકિસ્તાનને ઘૂંટણ પર લાવી દીધું અને પાકિસ્તાન સીઝફાયર માટે વિનંતી કરવા લાગ્યું. ત્યારબાદ બંનેમાં સીઝફાયર થયું છે. આ સીઝફાયર વચ્ચે હવે સૂત્રો પાસેથી મોટી જાણકારી સામે આવી છે. જાણકારી પ્રમાણે ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ શુક્રવારે વાયુસેનાના ભુજ એરબેઝની યાત્રા કરશે.

fallbacks

ભારત-પાક સરહદની લેશે મુલાકાત
સામે આવેલી જાણકારી પ્રમાણે રક્ષામંત્રી રાજનાથ સિંહ શુક્રવારે ભુજ પહોંચશે. રક્ષામંત્રી ભુજ એરબેઝની મુલાકાત લેશે. રાજનાથ સિંહની આ બે દિવસીય યાત્રા શુક્રવાર અને શનિવાર માટે હશે. જાણકારી પ્રમાણે રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતની ભારત-પાકિસ્તાન સરહદની મુલાકાત લેશે.

પાકિસ્તાને ભુજ મોકલ્યા હતા ડ્રોન
સૈન્ય તણાવ વચ્ચે પાકિસ્તાની સેનાએ ડ્રોનની મદદથી ગુજરાતના ભુજને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના તમામ હુમલાને નિષ્ફળ બનાવી દીધા હતા. અંતે કોઈ સફળતા ન મળવા અને સતત સૈન્ય નુકસાનને જોતા પાકિસ્તાને સીઝફાયરની અપીલ કરી હતી.

આ પણ વાંચોઃ શું પરમાણુ બોમ્બ હવામાં ફૂટે છે કે જમીન પર? કયાં વિસ્ફોટ થાય તો વધુ નુકસાન કરે છે?

આ એરબેઝ સરહદની નજીક છે
પંજાબમાં આવેલા એરબેઝ પાકિસ્તાન સાથેની સરહદની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ત્યારે કચ્છના ભુજ શહેરમાં સ્થિત એરબેઝ ભારતની એક મોટી તાકાત છે. બોલિવૂડ ફિલ્મ ભુજ 'ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' ભુજ એરબેઝ પર જ બનાવવામાં આવી છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન આ એરબેઝે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાને રનવેને નુકસાન પહોંચાડ્યું હતું પરંતુ ગુજરાતની મહિલાઓએ પોતાની બહાદુરીથી રાતોરાત રનવે ફરીથી બનાવ્યો હતો. તેમની મુલાકાત દરમિયાન, સંરક્ષણ પ્રધાન પાકિસ્તાન સાથેની સરહદ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હતો, ત્યારે ભુજ શહેર પર અંધારપટ છવાઈ ગયો હતો. કચ્છમાં ઘણા પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. ભુજ એરબેઝ પાકિસ્તાન સરહદથી 160 કિલોમીટર દૂર છે.

પીએમ મોદીએ કર્યો હતો આદમપુરનો પ્રવાસ
આ પહેલા પીએમ મોદીએ મંગળવારે પાકિસ્તાન પાસે આવેલી સરહદથી માત્ર 100 કિલોમીટરના અંતરે આવેલા આદમપુર એરબેઝ પર જવાનોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપતા કડક શબ્દોમાં કહ્યું હતું કે ભારત તરફ નજર કરનારનો અંજામ તબાહી હશે. પીએમ મોદીએ કહ્યુ- 'આતંકવાદ વિરુદ્ધ ભારતની લક્ષ્મણ રેખા એકદમ સ્પષ્ટ છે. હવે કોઈ આતંકી હુમલો થયો તો ભારત જવાબ આપશે, જરૂર જવાબ આપશે.' મહત્વનું છે કે પાકિસ્તાની સેનાએ આદમપુર એરબેઝ અને એસ-400 મિસાઇલ લોન્ચરને તબાહ કરવાનો ખોટો દાવો કર્યો હતો. પરંતુ પીએમ મોદીએ એરબેઝનો પ્રવાસ કરી પાકિસ્તાનના જુઠ્ઠાણાની પોલ ખોલી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More