Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના પેન્શનરો માટે સૌથી મોટા ખુશખબર, હયાતીની ખરાઈ માટે હવે બૅંક કે કચેરીમાં નહીં જવું પડે

Pensioners Life Certificate News : ગુજરાતના પેન્શનરોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. પેન્શનરો અને તેમાં પણ ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોને અવર-જવરમાં પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા હયાતી(લાઇફ સર્ટિફિકેટ)ની ખરાઈ માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. 

ગુજરાતના પેન્શનરો માટે સૌથી મોટા ખુશખબર, હયાતીની ખરાઈ માટે હવે બૅંક કે કચેરીમાં નહીં જવું પડે

દર્શલ રાવલ/અમદાવાદ: જો તમે પેંશનર છો અને તેમા પણ ગુજરાત સરકારી પેંશનર તો આ સમાચાર તમારા માટે છે. કેમ કે સરકારી પેંશનર ને હવે હયાતી દર્શાવવા માટે ધક્કા ખાવા જવું નહિ પડે. આવા પેંશનર ને ઘરે લાભ મળે માટે રાજ્ય સરકારે પોસ્ટ વિભાગ સાથે ટાઇપ કરી ઇ સર્ટિફિકેટની કામગીરી શરૂ કરી છે. ત્યારે જોઈએ આ સેવા શુ છે અને કઈ રીતે તેનો લોકો લાભ લઇ શકશે.

fallbacks

નિરક્ષરતાનો લાભ લઈ AMC સ્ટાફ ક્રેડિટ સોસાયટીમાં મોટું કૌભાંડ; 8 દલાલો સામે ફરિયાદ

  • ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરોને સશક્ત બનાવવાનો પ્રયાસ
  • ઇન્ડિયા પોસ્ટ હવે મફતમાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર કાઢી આપશે
  • ઘર આંગણે પેંશનર ને સેવા આપતા પેંશનરોમાં આનંદનો માહોલ

ઉદયપુરમાં સેક્સ રેકેટનો પર્દાફાશ; ઇવેન્ટના નામે ગુજરાત-હરિયાણા-દિલ્હીથ યુવતીઓ...

રાજ્ય સરકાર સાથે મળી ટાઈપ કરી એક ઉમદા કામગીરી શરૂ કરી છે. અને તે છે રાજ્ય સરકાર ના રિટાયર્ડ કર્મચારી ને પેંશન મળે તે માટેની સુવિધા. જે સુવિધા છેલ્લા 5 વર્ષથી બેંક અને પોસ્ટ વિભાગમાં ચાલી રહી છે. જ્યાં પેંશનરો પહોંચી જીવન પ્રમાણપત્ર કાઢી પેંશન નો લાભ લઈ રહ્યા છે. તેઓ ને હવે ઘરે બેઠા આ સેવાનો લાભ મળશે. અને તેમાં પણ ખાસ અશક્ત છે તેઓને આ યોજના નો મોટો લાભ થશે. જે પ્રક્રિયા માટે અમદાવાદ માં પોસ્ટ વિભાગના અધિકારી દ્વારા પોસ્ટમેન અને જરૂરી સ્ટાફ ને જીવન પ્રમાણપત્ર કાઢવા અને સમજૂતી આપવા માટે માહિતગાર કરાયા. જેથી ક્યાંય પણ કર્મચારી અટવાય નહિ અને કામગીરી ઝડપી થઈ શકે. જે સેવા રાજય સરકારના પેંશનર ને મફત મળી રહેશે. 

પોરબંદર ચોપાટી પર મોટી દુર્ઘટના; મંડપ ધરાશાયી થતાં હજારોની સંખ્યામાં નાસભાગ

જોકે બાકીના પેંશનરે નિયમ પ્રમાણે 70 રૂપીયા ચાર્જ ચૂકવવાનો રહેશે. જે સેવામાં એનરોલ થયેલા રાજ્ય સરકાર ના પેંશનર નો ખર્ચ રાજ્ય સરકાર પોસ્ટ વિભાગને ચૂકવશે. જે એવા માટે સરકારે પોસ્ટ વિભાગને પેંશનર નો ડેટા પણ આપી દીધો છે. જેમાં રાજ્યમાં દોઢ લાખ જ્યારે અમદાવાદમાં 55 હજાર આસપાસ આવા પેંશનરો આ સેવાનો લાભ મળશે.

  • લાભાર્થીને બેંક અને અન્ય સ્થળના ધક્કા ખાવા મટશે
  • વૃદ્ધો અને અશક્ત લાભાર્થીને સૌથી મોટો ફાયદો થશે
  • ગરમીમાં ધક્કા ખાવા માંથી પણ છુટકારો મળશે

આઘા રહેજો! ગુજરાતના આ 13 જિલ્લામાં વળી જશે તહસનહસ! હવામાનની લેટેસ્ટ આગાહી

રાજ્ય સરકારે પોસ્ટ વિભાગ પાસે ટાઈપ કરેલ કામગીરી ના પેંશનરોએ પણ આ સેવા શરૂ થતાં તેનો લાભ લેવાનું શરૂ કરી દીધું છે. આવા જ વીજળી ઘર પાસે રહેતા એક પેશનર કે જેઓ માર્ગ મકાન વિભાગમાં કારકુન તરીકે નોકરી કરતા અને 3 વર્ષ પહેલાં રિટાયર્ડ થયા તેવા રસીદ મિયા અરબ પાસે zee 24 કલાક પહોંચ્યું. જ્યાં પોસ્ટ વિભાગની ટીમ કે જેઓને તેમનો ડેટા મળ્યો છે તે ડેટા આધારે ટીમ પહોંચી. અને રસીદ મિતા અરબ ની પેંશન માટે ની જીવન પ્રમાણપત્ર માટેની પોસ્ટ વિભાગના કર્મચારી એ મોબાઈલ ડીવાઈસ અને બાયોમેટ્રિક સિસ્ટમ સાથે ની પ્રક્રિયા કરી. અને રસીદ મિયા અરબ એ ઘરે જ બેસીને ગણતરીની મિનિટોમા જીવન પ્રમાણપત્ર મેળવી લીધું. જે પ્રક્રિયાને અરજદારે પણ આવકારી. તો પોસ્ટ ઓફિસમાં સેવાનો લાભ લીધેલા રિટાયર્ડ કર્મચારીએ પણ સરકાર ની આ સેવાની વખાણી હતી.

ધડાધડ આ કંપનીના શેર વેચવા લાગ્યા ઈન્વેસ્ટરો, 778 રૂપિયાથી ₹51 પર આવી ગયો ભાવ

અમદાવાદમાં છેલ્લા થોડા દિવસથી આ પ્રક્રિયાની ટ્રાયલ ચાલતી હતી. જેમાં સફળતા મળતા આજથી આ સેવાને સફળતા પૂર્વક શરૂ કરી દેવાઈ. જે સેવા શરૂ કરતાની સાથે આજે બપોરે 12 સુધી રાજ્યમાં અંદાજે 900 લોકોએ લાભ લીધો. જેમાં રાજ્યમાં સૌથી વધુ સાબરકાંઠા તે બાદ રાજકોટ બાદમાં પાટણ અને બાદમાં અમદાવાદમાં લોકોએ લાભ લીધો. જેનો મતલબ એ થયો કે આ સેવાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જે સેવા રાજ્ય સરકારના પેંશનર માટે આશીર્વાદ સમાન બની છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More