Home> Gujarat
Advertisement
Prev
Next

Rajya Sabha Election : એસ. જયશંકરે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યુ, બે નામ પર હજી પણ સસ્પેન્સ

Rajya Sabha Election : કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર આજે રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યું.... બપોરે 12.39 ના ટકોરે ગાંધીનગરમાં ભર્યું ફોર્મ

Rajya Sabha Election : એસ. જયશંકરે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યુ, બે નામ પર હજી પણ સસ્પેન્સ

Gujarat BJP : ગુજરાતની રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. જેને લઈને વિદેશમંત્રી એસ.જયશંકરે આજે બપોરે 12:39 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું. રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. ત્યારે આજે વિદેશમંત્રી એસ. જયશંકરે પોતાનું નામાંકન પત્ર ભર્યું છે. તેઓ ત્રણ બેઠક પૈકી એક બેઠકના ઉમેદવાર છે. પરંતું અન્ય બે નામો અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત્ છે. વિજય મૂહુર્તમાં એસ. જયશંકર સાથે ફોર્મ ભરતા સમયે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી તથામંત્રીમંડળના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. 

fallbacks

બે નામોની જાહેરાત હજી બાકી
કેન્દ્રીય મંત્રી એસ જયશંકર સિવાય બે નવા ચહેરાને મોકો મળે તેવી શક્યતા વધુ દેખાઈ રહી છે. નીતિન પટેલ અને વિજય રૂપાણીનું નામ તો પહેલેથી જ ચર્ચામાં છે, પરંતુ હવે તેમાં પ્રફુલ પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. રાજ્યસભાની ચૂંટણીમાં વિદેશમંત્રી એસ જયશંકર રિપીટ થાય તેવી શક્યતા વધારે છે. પરંતુ બાકીના બે નામ પર હજી ભાજપ કોઈ નિર્ણય પર આવ્યું નથી. આવામાં દીવ દરમણના એડમિનિસ્ટ્રેટર અને પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ પટેલને રાજ્યસભાના ઉમેદવાર તરીકે મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. પ્રફુલ પટેલને પણ કેન્દ્રમાં મંત્રી તરીકે સ્થાન મળે તેવી શક્યતાઓ વધારે જોવાઈ રહી છે. 

શિવાજી મહારાજ પર અભદ્ર ટિપ્પણી કરીને પાટીદાર યુવક ભેરવાયો, બાદમાં માંગવી પડી માફી
 

ભારે વરસાદને કારણે ગુજરાતમાં આજે આ રસ્તાઓ બંધ છે, ડાયવર્ઝન જાણીને નીકળજો

દિલ્હીમાં નામો પર થઈ ચર્ચા 
બે દિવસ પહેલા દિલ્હી ખાતે ભાજપની  રાષ્ટ્રીય કક્ષાની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં જમ્મુ કશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, રાજસ્થાન, ગુજરાત, દમણ અને દીવ, દાદરા નગર હવેલી, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, છત્તીસગઢ અને, હરિયાણા રાજ્યના ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં ગુજરાત સહીત ઉત્તર ઝોનના રાજ્યોના પ્રદેશ પ્રમુખ, સંગઠન મંત્રી અને પ્રભારીઓએ જોડાયા હતા. આ બેઠકમાં આગામી સમયમાં લોકસભા ચૂંટણીના રોડ મેપ સાથે રાજ્યસભાની 10 સીટો માટે ચર્ચા થઈ હતી. 

ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદનુ રેડ એલર્ટ : 11 થી 15 જુલાઈ સુધીની નવી આગાહી આવી

રાજ્યસભામાં જ્ઞાતિનું ગણિત 
વિદેશમંત્રી એસ જયશંકરને રિપીટ કરવામાં આવી શકે છે, જ્યારે બાકીની બંને બેઠકો પર નવા ચહેરાને તક મળી શકે છે.. વર્તમાન સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયાને આ વખતે પડતા મૂકવામાં આવી શકે છે. આ બંને નેતાઓના બદલે ગુજરાતમાંથી એક ખૂબ જ સિનિયર નેતાને રાજ્યસભામાં લઈ જવામાં આવી શકે છે. બે બેઠક પર ઓબીસી અને ક્ષત્રિય નેતાની પસંદગીની શક્યતા સેવાઈ રહી છે. ગુજરાતમાંથી સિનિયર નેતાને રાજ્યસભામાં એન્ટ્રી મળી શકે છે. ઓબીસી અને ક્ષત્રિય નેતાની પસંદગી થાય તેવી શક્યતા છે.

કેનેડામા જઈને નોકરી માટે ફાંફાં મારવા કરતા આ શીખી લો, ડિમાન્ડ એટલી છે કે ડોલરના ઢગલા

ભવિષ્યમાં લાખોનું પેકેજ જોઈતુ હોય તો આ કોર્સ કરો, 5 વર્ષમાં આની જ ડિમાન્ડ હશે

અમેરિકામાં ગ્રીનકાર્ડની રાહ જોનારા ગુજરાતીઓ માટે આવી મોટી ખુશખબર

આગામી 5 વર્ષમાં ગાયબ થઈ જશે આ નોકરીઓ, ગુજરાત સરકારે રોજગારી પર મોટો પ્લાન બનાવ્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More