શૈલેષ ચૌહાણ, સાબરકાંઠા: સાબરકાંઠાના તલોદ તાલુકામાં બે લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બાવળના ઝાડ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં બે લાશ મળી આવી હતી. જો કે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને બંને મૃતદેહને ઝાડ પરથી ઉતારી પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ભમરેચીના મુવાડા ગામની સીમામાં ઝાડ પર લટકતી બે લાશ મળી આવી હતી. બાવળના ઝાડ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં બે લાશ મળી આવતા આસપાસના લોકો સ્થળ ટોળે વળ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઉત્તર ગુજરાતમાં નાની ઉંમરમાં જ છોકરીઓ પર મોટો ભાર, આ વાત જાણીને ચોંકી જશો
પોલીસે ઘટના સ્થળ પર પહોંચી બંને લાશને ઝાડ પરથી ઉતારવાની કામગીરી હાથ ધરી હતી અને 108 ની મદદથી બંને મૃતદહેને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા. જો કે, આ યુવક અને યુવતી કોણ છે અને તેમનું કયા કારણોસર મોત થયું તે અંગે તલોદ પોલીસ તપાસ કરી રહી છે.
"ઇન્દોર 56" નો કોન્સેપટ એડોપ્ટ કરી સુરત મનપાએ કર્યો કંઈક ખાસ પ્લાન, પછી તો સુરતીઓને મોજે મોજ
પોલીસને યુવક અને યુવતીની એક સાથે ઝાડ પર લટકી લાશ મળી આવતા પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો મામલો નોંધી બંનેના આત્મહત્યા કરવા પાછળ શું કારણ હતું તે અંગે તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે