Home> Saurashtra Kutch
Advertisement
Prev
Next

તો અમદાવાદમાં થશે સુરતવાળી, ખાનગી બસ એસોસિયેશને આપી ચીમકી

Ahmedabad Bus Association : સુરતમાં ધારાસભ્ય, બસ એસોસિએશનના વિવાદનો અમદાવાદ ટ્રાવેલ્સ એસોસિએશને ઉઠાવ્યો ફાયદો.....  શહેરમાં બસ પ્રવેશની સમય મર્યાદા ઘટાડવા કરી માગ... સરકાર ન માને તો સુરતની જેમ અમદાવાદમાં પણ મુસાફરોને શહેર બહાર ઉતારવાની ચીમકી..

તો અમદાવાદમાં થશે સુરતવાળી, ખાનગી બસ એસોસિયેશને આપી ચીમકી

Ahmedabad Bus Association : સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણી અને ખાનગી બસ એસોસિયેશન જંગ ચઢ્યા છે. ત્યારે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી અને લક્ઝરી બસ એસોસિએશન વચ્ચેના વિવાદનો ભોગ મુસાફરો બન્યા છે. સુરતમાં આજથી શહેરમાં બસ નહી આવે તેવો લક્ઝરી બસ સંચાલકોએ નિર્ણય લીધો છે. જેથી લક્ઝરી બસના ચાલકોએ મુસાફરોને શહેર બહાર જ ઉતાર્યા હતા. આ કારણે રિક્ષા ચાલકોએ મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી હતી. ત્યારે સુરતમાં ધારાસભ્ય, બસ એસોસિએશનના વિવાદનો અમદાવાદ ટ્રાવેલ્સ એસોસિએશન ફાયદો ઉઠાવવા માંગે છે. એસોસિયેશને અમદાવાદ શહેરમાં બસ પ્રવેશની સમય મર્યાદા ઘટાડવા માંગ કરી છે. જો સરકાર ન માને તો સુરતની જેમ અમદાવાદમાં પણ મુસાફરોને શહેર બહાર ઉતારવાની ચીમકી આપી છે.

fallbacks

સુરતમાં ખાનગી ટ્રાવેલ્સ શહેરમાં પ્રવેશ મામલે અમદાવાદમાં ટ્રાવેલ્સ એસોસિયેશને પણ પોતાની માંગ આગળ કરી છે. અમદાવાદનું બાપુનગર ટ્રાવેલ્સ એસોસિયેશન આ અંગે આવેદન આપવામા આવશે. અમદાવાદ બસ એસોસિયેશને વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ લક્ઝરી બસને શહેરમાં પ્રવેશ રાત્રે 9.30 થી સવારે 8 વાગ્યા સુધી માંગ કરી છે. તેમજ શહેરમાં બપોરે 1 થી 4 બસને પ્રવેશની મંજૂરી આપવા માંગ કરી છે. 

આ પણ વાંચો : 

સુરતમા કુમાર કાનાણી અને લક્ઝરી બસ એસો.ના વિવાદ વચ્ચે મુસાફરો રઝળ્યા

અંબાલાલ પટેલની નવી આગાહીથી ખુશ થઈ જશો, પણ ખેડૂતો દુખીદુખી થઈ જશે

બાપુનગર ટ્રાવેલ્સ એસોસિયેશને કહ્યું કે, હાલ શહેરમાં રાત્રે 11 થી સવારે 7 સુધી બસને પ્રવેશવાની મંજૂરી છે. જેને વધારવામાં આવે. સાથે જ પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો અમદાવાદમાં બસ રિંગરોડ પર ઉભી રખાશે તેવી ચીમકી એસોસિયેશન દ્વારા આપવામા આવી છે. જો તેમની માંગ નહીં સંતોષાય તો 28 તારીખે અમદાવાદ શહેરમાં ટ્રાવેલ્સ બસ શહેરની અંદર લાવવામાં આવશે નહીં. રિંગ રોડથી પેસેન્જરે જાતે પોતાની વ્યવ્સ્થા કરવાની રહેશે. મહત્વનું છે કે, અત્યારે અમદાવાદમાં રાત્રે 11થી સવારે 7 સુધી જ બસને પ્રવેશ મળે છે.

સુરતના વિવાદમાં મુસાફરો અટવાયા 
આજથી સુરતમાં લક્ઝરી બસો પ્રવેશવાનું બંધ થયું છે. જેને પગલે બહારથી આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીની ફરિયાદ બાદ બસ એસોસિએશને બસને શહેરમાં ન લાવવાનો નિર્ણય લીધો હતો. ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખીને સુરતમાં સ્લીપિંગ એસટી બસ ચાલુ માંગ કરી હતી. જેમાં કતારગામ, વરાછા, પુણા વિસ્તારમાં સ્લીપિંગ એસટી બસની માંગ કરી છે. સાથે જ કુમાર કાનાણીએ ફરિયાદ કરી કે, ખાનગી લક્ઝરી બસ સંચાલકો ઉઘાડી લૂંટ ચલાવે છે. તેથી તેઓએ ખાનગી બસોના રૂટનો સર્વે કરવા પણ માંગ કરી હતી. 

આ પણ વાંચો : 

બસનું બુકિંગ તાત્કાલિક કરાવી લેજો, બંધ રહેશે બુકિંગની આ એપ્લિકેશન

અમદાવાદ રામ ભરોસે, AMC ના મોટાભાગના વિભાગ પાસે સ્થાયી જવાબદાર અધિકારી જ નથી!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More