હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાતમાં કુલ વરસાદનો 57 ટકા વરસાદ આજદિન સુધી થયો છે જેના કારણે ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવણી કરી છે. રાજ્યમાં પાછળથી થઈ રહેલા સારા વરસાદના કારણે અને સિંચાઇ માટે ઉપલબ્ધ પાણી ન કારણે ખેડૂતોએ વાવણીમાં જોતરાયા છે. રાજ્યમાં આજદિન સુધી કુલ 91 ટકા વાવણી થઈ ચૂકી છે. મગફળી તલ સહિત તેલીબિયાં પાકમાં 100 ટકા કરતા વધુ વાવણી થઈ ચૂકી છે.
આ પણ વાંચો:- ટેસ્ટિંગ રેટ ઓછો અને પોઝિટિવ રેટ વધુ, ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવા પડશે: પીએમ મોદી
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થતાં વાવણીમાં વધારો થયો છે. રાજ્યમાં હાલ 57.93 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. ત્યારે વાવણીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અત્યારસુધી કુલ 91.90 ટકા વાવણી થઈ ચૂકી છે. જેમાં વિશેષ તેલીબિયાં પાકોમાં 109 ટકા કરતા વધારે વાવણી થઈ ચૂકી છે. રાજ્યમાં મગફળીની વાવણી સાથે તલ અને સોયાબીનની વાવણી દોઢથી બે ઘણો વધારો થયો છે. વાવણીના આંકડાઓ પર નજર કરીએ તો...
આ પણ વાંચો:- દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીની સાદાઈથી ઉજવણી, તમે ઘરે બેઠા કરી શકશો ભગવાનના દર્શન
વાવણીના આંકડા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે