Home> Gujarat
Advertisement
Prev
Next

'કળિયુગના રાવણ અને કંસ છે આતંકવાદીઓ...', પહેલગામની ઘટના મુદ્દે દ્વારકાના શંકરાચાર્યનું મોટું નિવેદન

પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકનાં મોતની ઘટનાને દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ વખોડી કાઢી છે અને ચિંતા પણ વ્યક્ત કરી છે. શંકરાચાર્યએ કહ્યું હતું કે ભારત જેવા લોકતાંત્રિક દેશ માટે ચિંતાની વાત છે.

 'કળિયુગના રાવણ અને કંસ છે આતંકવાદીઓ...', પહેલગામની ઘટના મુદ્દે દ્વારકાના શંકરાચાર્યનું મોટું નિવેદન

Pahalgam attack: દ્વારકા શારદાપીઠાધીશ્વર સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે કાશ્મીરના પલ ગામની દુઃખદ ઘટના પર પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. આતંકવાદીઓ દ્વારા ધર્મનો સહારો લઈને એક વિશેષ ધર્મના લોકોને લક્ષ્ય બનાવીને તેમની હત્યા કરી. આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, તે સિદ્ધ થયું. 

fallbacks

ભારત પાસે છે 2 'બ્રહ્માસ્ત્ર', બટન દબાવતા જ કરાચી-લાહોરને નકશા પરથી કરી દેશે ગાયબ !

દ્વારકા શારદાપીઠાધીશ્વર સ્વામીજીનું માનવું છે કે પહલગામની ઘટનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આતંકવાદીઓ ધર્મનો ઉપયોગ પોતાના ઘૃણિત કૃત્યોને અંજામ આપવા માટે કરી રહ્યા છે. જગતગુરુએ આતંકવાદીઓની સરખામણી રાવણ અને કંસ સાથે કરી. આતંકવાદીઓના કૃત્યને ત્રેતા યુગના રાવણ અને દ્વાપર યુગના કંસ સમાન ગણાવ્યા છે. જેમનું કર્તવ્ય પણ હત્યા કરવાનું હતું અને જે રાષ્ટ્રીયતાને હાની પહોંચાડી રહ્યા છે. 

48 કલાકવાળી વાતથી ફફડી ગયું પાકિસ્તાન, ફટાફટ તૈયાર થઈ ગયું અને કરી આ ઓફર

સ્વામીજીએ દેશની એકતા પર ભાર મૂક્યો છે અને કહ્યું છે કે આપણી ત્રણેય સેનાઓ મજબૂત અને સક્ષમ છે. તેથી ભારતને નબળું પાડવા માટે આતંકવાદીઓ ષડયંત્ર રચી રહ્યા છે. જેનો મુકાબલો એકતાથી જ કરી શકાય છે. સમસ્ત હિન્દુઓને દળગત રાજનીતિથી ઉપર ઊઠીને એકજૂથ થવાનું આહ્વાન કર્યું છે. જે આતંકવાદીઓને કરારો જવાબ માનવામાં આવશે.

ભારતે કરી યુદ્ધની તૈયારી! દુશ્મન દેશ માટે ભારતીય નેવીએ આપ્યો એક્શનનો સંદેશ

સ્વામીજીએ સનાતન ધર્મના 'વસુધૈવ કુટુંબકમ્'ના સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આપણો ધર્મ માનવતાને ધારણ કરે છે. પરંતુ પોતાની રક્ષાનો અધિકાર સૌને હોવો જોઈએ. આતંકવાદ સામેના યુદ્ધમાં એકતા જ સફળતાની ચાવી: જગતગુરુ. ભારત સરકાર, સંસ્થાઓ, હિન્દુ અને મુસ્લિમ ધર્મના અનુયાયીઓને મળીને આતંકવાદ સામે લડવાની અપીલ કરી છે. 

Video: પહેલગામ આતંકી હુમલાનો નવો Video આવ્યો સામે, જંગલમાંથી આવ્યા અને...

કાશ્મીરની દુઃખદ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યું. જગતગુરુ શંકરાચાર્યજી એ.આતંકવાદના ખતરા સામે લડવા માટે રાષ્ટ્રીય એકતા અને ધાર્મિક સદ્ભાવની જરૂરિયાત પર ભાર મુકયો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More