Tapi News નરેન્દ્ર ભુવેચિત્રા/તાપી : તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં રહેતા એક ખેડૂત પરિવાર સાથે દુખદ ઘટના બની છે. એક ખેડૂતે પોતાના ખેતરા પાકને બચાવવા ખેતરની ફરતે કરંટવાળી વાડ કરી હતી. જોકે, આ વાડમાં કરંટ લાગતાં ખેડૂતે પોતાના જ પરિવારજનોને ગુમાવ્યા છે. ખેડૂતના પિતા, માતા અને પુત્રના મોત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખેતરોમાં ભૂંડ રોકવા માટે વીજકરંટ મૂકવાનો નિર્ણય ક્યારેક ભારે પડી શકે છે. અનેક ખેડૂતો આ વાત જાણતા હોવા છતાં તેઓ કરંટવાળી વાડ લગાવે છે. હાલમાં ખેડૂતોને સૌથી મોટી સમસ્યા હોય તો રખડતા જાનવરોની છે. જે ઉભા પાકોને તહસ નહસ કરી નાંખે છે. ખેતરના ઉભા પાકને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડતા હોય છે. વાલોડ ગામમાં પણ એક ખેડૂતે ખેતી પાકને બચાવવા માટે ખેતરની ફરતે કરંટ વાળા તારની વાડ કરી હતી. પરંતુ આ જ પ્રયોગનું વિપરિત પરિણામ આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં બની છે. વાલોડમાં ખેતર ફરતે કરેલી કરંટ લાઈનથી કરંટ લાગતા ખેડૂત પરિવારના 3 લોકોના મોત થયા છે. પિતા, પુત્ર અને માતાનું મોત થઈ ગયું છે. એક જ પરિવારના 3 લોકોના કરંટ લાગતા મોત થઈ જતા ગામમાં શોકનો માહોલ છે.
આ પણ વાંચો :
પીએમ મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત, અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરાયા
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની માઠી દશા બેઠી, કદાવર નેતાએ રાજીનામુ ધર્યું
કોરોનાએ ઉથલો માર્યો : સુરતમાં દૂબઈથી અને ભાવનગરમાં ચીનથી આવેલો પરિવાર કોરોના પોઝિટિવ
એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને મૃતકના પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું. ખેડૂતો જંગલી જાનવરોથી મોટાપાયે ખેડૂતોને નુક્સાન પહોંચાડે છે. સરકાર આ કાંટાળા તારની યોજના માટે ખેડૂતોને સબસિડી પણ આપે છે જોકે, વાલોડમાં ખેડૂતે કાંટાળી વાડમાં કરંટ પસાર કર્યો હતો. જેનો ભોગ એક નિર્દોષ પરિવાર બન્યો હતો.
આ પણ વાંચો : ખેડૂતોએ અંબાણી કરતા પણ ગજબનું દિમાગ દોડાવ્યું, ઓર્ગેનિક ખેતીથી 95% ખર્ચ ઘટાડ્યો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે