Home> Gujarat
Advertisement
Prev
Next

બોપલ વિસ્તારમાં 23 વર્ષનાં એક યુવકની હત્યા, પરિવાર માટે આભ તુટી પડ્યું

શહેરનાં બોપલ વિસ્તારમાં 23 વર્ષનાં એક યુવકની હત્યા કરેલી હાલતમા લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. જોકે હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની શંકા પોલીસે વ્યકત કરી છે. જોકે મૃતક યુવાન મોડી રાત્રે ઘરેથી નીકળ્યો અને તેનુ અપહરણ કર્યા બાદ હત્યા થઈ હોવાનુ સામે આવી રહ્યું છે. જો કે પોલીસે આરોપીને પકડવાની તજવીજ  હાથ ધરી છે. 

બોપલ વિસ્તારમાં 23 વર્ષનાં એક યુવકની હત્યા, પરિવાર માટે આભ તુટી પડ્યું

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરનાં બોપલ વિસ્તારમાં 23 વર્ષનાં એક યુવકની હત્યા કરેલી હાલતમા લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. જોકે હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની શંકા પોલીસે વ્યકત કરી છે. જોકે મૃતક યુવાન મોડી રાત્રે ઘરેથી નીકળ્યો અને તેનુ અપહરણ કર્યા બાદ હત્યા થઈ હોવાનુ સામે આવી રહ્યું છે. જો કે પોલીસે આરોપીને પકડવાની તજવીજ  હાથ ધરી છે. 

fallbacks

પ્રેમીકાનાં પતિની હત્યા બાદ બીજા ત્રણ લોકોની હત્યાનું હતું આયોજન જો કે અચાનક પોલીસે ઝડપી લીધો

બોપલ સ્ટર્લિંગ સિટીનાં ગેટની અંદરનાં ભાગે ફક્ત 20 ડગલાં દુર મયંક ગિરી ગોસ્વામીની લાશ મળી. વહેલી સવારે સિકયોરીટી ગાર્ડની નજર પડતાં જ તેણે પોલીસને આ બાબતની જાણ કરી. ઘટના સ્થળે પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી અને સંબંધિત પુરાવાઓ એકત્રિત કરવાનું શરૂ કર્યુ. મયંક ગીરી બોપલમાં તેનાં પિતરાઇ ભાઇને ત્યાં રહેતો હતો અને ગઇકાલે રાત્રે 11 વાગ્યા સુધી તે પોતાનાં ઘરે જ હતો, પરંતુ મોડી રાત્રે તે ક્યારે ઘરેથી નીકળ્યો તે કોઇને ખબર નહોતી. સવારે ફોન આવતાં પરિવારજનોને ઘટનાની જાણ થઇ, પરિવારજનોનાં કહેવા મુજબ શું કારણ હોઇ શકે તેની હાલ તેમને ખબર નથી. ઘટના મોડી રાત્રે બની હોઇ શકે છે, કારણ કે મૃતક મયંકગિરીને પગ અને માથાનાં ભાગે ઇજાઓ છે. પોલિસ આ સમગ્ર મામલે પોતાની તપાસ માટેની કાર્યવાહી શરૂ કરીને હત્યા પાછળનું કારણ શોધવાનાં પ્રયાસમાં લાગી છે.

એશિયામાં ગુજરાતનાં આ એકમાત્ર સ્થળ પર રણની રેતિમાં પણ થાય છે યોટિંગ

ઘટનાની જાણ થયા બાદ તેની માતાને જાણ થતાં જ તે હોસ્પીટલમાં બેહોશ થઇ ગયા. પરિવારમાં મૃતક મયંકગીરી સિવાય તેની એક બહેન છે, ત્યારે પરિવારજનો માથે તો જાણે આભ તુટી પડ્યુ છે. મયંક બોપલની અદ્રેત હોસ્પીટલમા ઈવેન્ટ મેનેજમેન્ટનુ કામ કરતો હતો. આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનુ પોલીસ તપાસમા સામે આવ્યુ છે. સરસપુરનો એક યુવક શંકમદ હોવાથી તેની તપાસ શરૂ કરવામા આવી. ઉત્તરાયણનાં તહેવારનાં સમયે સામાન્ય રીતે રસ્તા પર અવર જવર ઓછી હોય છે, અને કદાચ એ બાબતનો લાભ આરોપીઓએ લીધો હોઇ શકે છે. કારણ કે મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ વહેલી સવાર સુધી કોઇને આ બાબતની જાણ પણ ન થઇ. પોલિસને મૃતક મયંકગિરી ગોસ્વામીનું વાહન પણ હત્યાનાં સ્થળેથી થોડે દુર મળી આવ્યુ છે. સાથે જ પોલિસે સીસીટીવી ફુટેજ પણ એકત્ર કર્યા છે, જેનાથી પોલિસને તપાસમાં મદદ મળે. જો કે આ મામલે તપાસ પ્રેમ પ્રકરણની હોય તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More