Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં અજીબોગરીબ કિસ્સો: ખૂંખાર દીપડાને આજીવન કેદની સજા, જાણો શું કર્યો છે કાંડ?

માંડવીના બાળકને મારનાર દીપડો ઝંખવાવ સેન્ટરનો પ્રથમ કેદી બન્યો ફરી હુમલો ન કરે તે માટે આજીવન રખાશે. સુરત જિલ્લામાં છેલ્લાં 6 માસમાં દીપડા દ્વારા લોકો પર જીવલેણની 3 ઘટનાઓ બની છે. જેમાં થોડાક સમય પૂર્વે માંડવીમાં માનવભક્ષી દીપડાએ ખેતમજૂરના એક સાત વર્ષીય બાળકને ઉપાડી જઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો. માંડવી વન વિભાગે 11 કલાક સુધી શોધખોળ કરીને દીપડાને પાંજરે પૂર્યો હતો. 

ગુજરાતમાં અજીબોગરીબ કિસ્સો: ખૂંખાર દીપડાને આજીવન કેદની સજા, જાણો શું કર્યો છે કાંડ?

પ્રશાંત ઢીવરે/સુરત: માંડવીના બાળકને મારનાર દીપડો ઝંખવાવ સેન્ટરનો પ્રથમ કેદી બન્યો ફરી હુમલો ન કરે તે માટે આજીવન રખાશે. સુરત જિલ્લામાં છેલ્લાં 6 માસમાં દીપડા દ્વારા લોકો પર જીવલેણની 3 ઘટનાઓ બની છે. જેમાં થોડાક સમય પૂર્વે માંડવીમાં માનવભક્ષી દીપડાએ ખેતમજૂરના એક સાત વર્ષીય બાળકને ઉપાડી જઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો. માંડવી વન વિભાગે 11 કલાક સુધી શોધખોળ કરીને દીપડાને પાંજરે પૂર્યો હતો. 

fallbacks

મતદાર યાદીમા નામ નોંધાવવાનુ બાકી છે? ઉતાવળ કરજો, ગુજરાતમા આ 4 દિવસ યોજાશે ખાસ ઝુંબેશ

આ દીપડો માનવભક્ષી હોવાનું સાબિત થયાં તેને ઝંખવાવ ખાતે શરૂ કરાયેલા પ્રથમ રિહેબિલિટેશન સેન્ટરમાં મૂકાયો છે. આમ ઉશ્કેર રિહેબિલિટેશન સેન્ટરનો આ દીપડો પ્રથમ કેદી બન્યો છે. ઝંખવાવ ખાતે હિંસક પ્રાણીઓ માટે પુનઃવસન કેન્દ્રની શરૂઆત બાદ કોઈ પ્રાણીને આ પ્રમાણે રાખવાની આ પ્રથમ ઘટના છે. ડીએફઓ આનંદ કુમારે જણાવ્યું હતું કે દીપડાને જો ફરી છોડવામાં આવે તો તે ફરી માનવ પર હુમલો કરી શકે છે. તેથી આવા દીપડાને અહીં જ આજીવન રખાશે. પુનઃવસન કેન્દ્રમાં માનવભક્ષી દીપડાને અંત સુધી રાખવાની વ્યવસ્થા છે.

રિવર ક્રૂઝ બાદ હવે ફ્લોટીંગ રેસ્ટોરન્ટ, જાણો ક્યાં અને કેવી સુવિધાઓથી હશે સજ્જ

સુરત ડીસીએફ આનંદ કુમારે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના જંગલોમાં ફરતા દીપડા શિકારની શોધમાં માનવ વસાહટની નજીક આવી રહ્યા છે. ભેંસ, ડુક્કર, વાછરડા સહિતના પ્રાણીઓ પર હુમલા કરવા સાથે દીપડા ઘણી વખત માનવી ઉપર પણ હુમલો કરી દે છે. માનવી પર હુમલો કરવાના બનાવ દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે એક વખત મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાઈ તો રિહેલિટિબેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવે છે. પહેલાં દક્ષિણ ગુજરાતમાં રિહેબિલિટેશન સેન્ટર નહીં હોવાથી વડોદરા ખાતે મોકલાતા હતા. પરંતુ હવે સુરતના માંડવી સ્થિત ઝંખવાવમાં 1.50 કરોડ રૂપિયાના ખર્ચે રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે.

આ માર્કેટયાર્ડમાં પ્લાસ્ટિકની ગુણીમાં ડુંગળી ભરીને ગયા તો આવશો ઘેર પાછા! મોટો નિર્ણય

સાથે તેઓએ જણાવ્યું હતું કે, માંડવીના ઝંઝવાવમાં 10 દીપડા રાખી શકાય એવું રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને માંડવીમાં જ બીજું રિહેબિલિટેશન સેન્ટર બનાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જગ્યા ફાઇનલ કરી દેવામાં આવી છે. અહીંયા પણ 10 દીપડાને રાખી શકાય તેવી કેપેસિટી સાથેનું રિહેબિલિટિશન સેન્ટર બનાવાશે. 

આવી રહ્યો છે મોટો ખતરો! ગુજરાતીઓ ભોગવવા તૈયાર રહેજો, અંબાલાલે કીધું એટલે 'ફાઈનલ'

ઉલ્લેખનીય છે કે, હવે એક વખત મનુષ્ય પર હુમલો કરનાર દીપડો પકડાઈ તો તે જીવે ત્યાં સુધી તેને રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે. દરમિયાન માંડવીના ઝંઝવાવમાં હાલ જ રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થયું છે. ત્યારે માંડવીના ઉશ્કેરથી પકડાયેલો દીપડો ઝંઝવાવ સેન્ટરનો પહેલો કેદી બન્યો છે. હવે પછી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગના જંગલમાં કોઈપણ મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાશે તો તેને ઝંખવાવના સેન્ટરમાં રાખવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More