Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદીઓ માર્ગ પર વાહન લઈને નીકળો તો સાવધાન; હવે હાલતા-ચાલતા મળી શકે છે મોત!

અમદાવાદ શહેરમાં વગર વરસાદે ભુવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના સીટી વિસ્તારમાં ભુવો પડ્યો છે. ગણતરીના મીટરના અંતરમાં બે ભુવા પડ્યા છે. મહિના પહેલા પડેલા એક ભુવાનું કામ હજુ પૂર્ણ થયું ત્યાં તેની જ નજીક બીજો ભૂવો પડ્યો. હાલ બંને જગ્યા ઉપર પતરા મૂકીને ભુવાને કોર્ડન કરાયા.

અમદાવાદીઓ માર્ગ પર વાહન લઈને નીકળો તો સાવધાન; હવે હાલતા-ચાલતા મળી શકે છે મોત!

ઝી બ્યુરો/અમદાવાદ: શહેરમાં વગર વરસાદે ભુવા પડવાનો સિલસિલો યથાવત છે. જે ભુવા પડવાના કારણે સ્થાનિક, વાહનચાલકો અને વેપારીઓને હાલાકી પડી રહી છે. આ વાત છે દરિયાપુર વિસ્તારમાં આવેલ દરીયાપુર દરવાજા એમટીએસ બસ સ્ટેન્ડ પાસેની. કે જ્યાં માર્ચ મહિનામાં એક ભુવો પડ્યો, જે કેટલાક દિવસ ભુવો કોર્ડન રહ્યો બાદમાં કામ કરાયું. હજુ તે કામ પૂરું થયું અને પતરા પણ નથી હટાવાયા ત્યાં જ તેના જ થોડાક અંતર દૂર બીજો ભુવો પડ્યો. 

fallbacks

મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો પાટણ-રાધનપુર હાઇ-વે; ST બસે રીક્ષાને અડફેટે લેતા 5 મોત

જે ભુવો પણ કેટલાક દિવસથી કોર્ડન કરીને મૂકી રખાયો. જે ભુવો બહાર થી નાનો પણ અંદરથી 4 ગણો મોટો ભુવો છે. પરંતુ ત્યાં કોઈપણ પ્રકારની કામગીરી તંત્ર તરફથી જોવા નથી મળી. જે બે કોર્ડન કરાયેલા ભુવાના કારણે રસ્તો સાંકડો બનતા પિક અવર્સ દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તેમજ એમટીએસ બસ સ્ટેન્ડ પાસે ભૂવો પડતા બસના મુસાફરોને પણ હાલાકી પડી રહી છે. તેમજ ભુવા પાસે દુકાનો આવેલી હોવાથી વ્યાપારીઓને પણ તેની અસર સર્જાઈ છે. જ્યાં સ્થાનિકો દ્વારા તંત્ર સામે ક્યાંક નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી. 

રાજકોટ અકસ્માતમાં ખૂલ્યા રહસ્યો; એજન્સીનું સંચાલન કરે છે ભાજપના નેતા વિક્રમ ડાંગર

સ્થાનિકોના આક્ષેપ છે કે અયોગ્ય કામગીરીના કારણે આ ભુવાઓ પડી રહ્યા છે. જેના પર તંત્ર એ ધ્યાન આપવાની જરૂર લોકો કહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દરિયાપુર દરવાજા પાસે દર ચોમાસા દરમિયાન ભુવો પડે જેના થોડે દુર આ ભુવા પડતા કોઈ મોટી ઘટના ન બને તેઓ સ્થાનિકોને ભય સતાવી રહ્યો છે. 

1 એપ્રિલ 2005 પહેલાના કર્મચારીઓને કેવી રીતે મળશે જૂની પેન્શનનો ફાયદો? જાણો આ પરિપત્ર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More