Home> Gujarat
Advertisement
Prev
Next

કરજણ : રબારી પરિવારના ત્રણ વ્હાલસોયાની લાશ ગામના તળાવમાં તરતી મળી

વડોદરા પાસે કરજણમાં કોલિયાદ ગામે રાત્રે 3 બાળકો ગુમ થયા હતા. ત્યારે સવારે ત્રણેય બાળકોની લાશ ગામમાં આવેલ તળાવમાંથી મળી આવી હતી. ત્યારે આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક રબારી પરિવારે એક સાથે ત્રણ બાળકો ગુમાવતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. 

કરજણ : રબારી પરિવારના ત્રણ વ્હાલસોયાની લાશ ગામના તળાવમાં તરતી મળી

મિતેશ માળી/કરજણ :વડોદરા પાસે કરજણમાં કોલિયાદ ગામે રાત્રે 3 બાળકો ગુમ થયા હતા. ત્યારે સવારે ત્રણેય બાળકોની લાશ ગામમાં આવેલ તળાવમાંથી મળી આવી હતી. ત્યારે આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક રબારી પરિવારે એક સાથે ત્રણ બાળકો ગુમાવતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, કરજણ તાલુકાના કોલિયાદ ગામના ગૌચર વિસ્તારમાં મૂળ બોટાદનો રબારી પરિવાર રહે છે.  આ પરિવાર ગાયો લઈને ગામેગામ ફરતો હોય છે. ગઈકાલે મોડી સાંજે પરિવારના ત્રણ દીકરા મધુર સુરેશભાઈ સાનિયા(ઉં.13), ધ્રુવ સુરેશભાઈ સાનિયા(ઉં.10) અને ઉત્તમ સુરેશભાઈ સાનિયા(ઉં.08) ગુમ થયા હતા. આખી રાત શોધખોળ છતા પણ બાળકો મળ્યા નહતા. ત્યારે સવારે ગામના તળાવમાંથી બાળકોના મૃતદેહો તરતા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ બાળકોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. 

fallbacks

ઘટનાની જાણ થતા જ પરિવારજનો દોડી આવ્યા હતા. પરિવારે ત્રણ વ્હાલસોયાની લાશ જોઈને ભારે આક્રંદ કરી મૂક્યું હતું. ઘટનાને પગલે ગામ લોકો તળાવ કિનારે ઉમટી પડ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More