રક્ષિત પંડ્યા, રાજકોટ : રાજકોટ (Rajkot) આજે એક ઐતિહાસિક પળનું સાક્ષી બન્યું છે. રાજકોટવાસીઓને 21મી સદીમાં માંધાતાસિંહ જાડેજા (mandhata sinh jadeja)નો રાજ્યાભિષેક જોવા મળી રહ્યો છે. આજથી રાજ્યાભિષેકના ત્રણ દિવસના ભવ્ય સમારોહનો રંગેચંગે પ્રારંભ થયો છે. આજે સવારે રાજસૂય યજ્ઞ અને રાજપૂતાણીઓના તલવાર રાસ પછી સાંજે નગરના 17મા રાજા બનવા જઈ રહેલા માંધાતાસિંહ જાડેજા નગરયાત્રા નીકળી હતી.
તેમની આ નગરયાત્રામાં 36 જેટલી વિન્ટેજ કારમાં રસાલો નીકળ્યો હતો અને દેશભરના 70 રાજવી પરિવારો રાજ્યાભિષેકના સાક્ષી બન્યા હતા. આ નગરયાત્રા દ્વારા માંધાતાસિંહજીનો પરિવાર આશાપુરા માતાના દર્શન કરવા ગયા હતા. સામાન્ય રીતે રાજગાદી સંભાળતા પહેલા રાજાએ પોતાનાં રાજ્યની નગરયાત્રા કરવાની હોય છે, જે પરંપરા આજે રાજકોટમાં જોવા મળી રહી છે. રાજ્યાભિષેક વિધિમાં 100 જેટલા મુળિયા અને ઔષધીનો ઉપયોગ અને 31 તીર્થજળનો અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ રાજતિલક વિધી કરીને ગાદી ગ્રહણ કરશે. રાજ્યાભિષેક માટે વસંત પંચમીનો શુભ દિવસ પસંદ કરવામાં આવ્યો છે.
29 જાન્યુઆરીનો કાર્યક્રમ
30 જાન્યુઆરીનો કાર્યક્રમ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે