ગુજરાત :અલ્પેશ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો સાથ આપી શકે છે તેવી ચર્ચાઓ ગુજરાતના રાજકારણમાં દરેક કાને પહોંચી ગઈ છે. ત્યારે પીએમ મોદીના આગમનના દિવસે જ કોંગ્રેસ તૂટી શકે છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અુસાર, ઓપરેશન અલ્પેશ ઠાકોર રાધનપુરમાં ઘડાયું હતું. કહેવાય છે કે, ઉ.ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીએ આ ખેલ પાડ્યો હતો. તો 2019ની ચૂંટણીમાં તોડજોડનું રાજકારણ ચરણસીમાએ પહોંચેલું જોવા મળ્યું છે. ભાજપ કોંગ્રેસ બંને પક્ષો માટે એક સાંધો ત્યાં તેર તૂટવા જેવા ઘાટ ઘડાઈ રહ્યા છે. હાલ, તોડજોડના રાજકારણમાં અલ્પેશ ઠાકોર સૌથી મોટું ઉદાહરણ છે, પણ છેલ્લા કેટલાક કલાકોમાં અનેકોએ પક્ષપલટો કર્યા છે. જેમાં ભાજપ કોંગ્રેસના ગઢના અનેક કાંગરા ખરવામાં સફળ રહ્યું છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા
ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા
મંત્રી ગણપત વસાવાના ગઢમાં ગાબડું પડ્યું. માગરોળ વાંકલનાં ભાજપનાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા તેમજ લવેટ ગામનાં 30 યુવા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.
આમ, એડીચોટીનું જોર લગાવીને ભાજપ કોંગ્રેસના કાર્યકરોને પોતાના પક્ષમાં સામેલ કરી રહ્યું છે. જેની સીધી અસર ચૂંટણી પ્રચારમાં જોવા મળી શકે છે. હાલ કાર્યકર્તાઓ જ્યારે ચૂંટણી પ્રચાર કરીને પોતાના પક્ષના ઉમેદવારને જીતવામાં લાગી ગયા છે, ત્યારે તોડજોડનું રાજકારણ અપનાવીને કાર્યકર્તાઓને પોતાના તરફ ખેંચવામાં આવી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે