ઝી ન્યૂઝ/ બ્યુરો: ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે કોરોનાના નવા 44 કેસ નોંધાયા છે, જ્યારે 23 દર્દીઓ સાજા થયા છે. જેના પગલે રાજ્યનો કોરોના રિકવરી રેટ ઘટીને 98.75 ટકાએ પહોંચી ગયો હતો. અત્યાર સુધીમાં કુલ 8,16,710 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તો બીજી તફ 4,93,328 રસીના ડોઝ આજના દિવસમાં અપાયા હતા. જો કે ધીરે ધીરે કોરોનાના વધી રહેલા આંકડા રાજ્ય સરકાર અને નાગરિકોની ચિંતા વધારી રહ્યા છે.
રાજ્યમાં હાલ કુલ 312 કોરોનાના એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 306 નાગરિકો સ્ટેબલ છે. 8,16,710 નાગરિકો અત્યાર સુધીમાં કુલ ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે.
ગુજરાતના આરોગ્ય મંત્રીના નિવેદનથી લોકોમાં ફફડાટ: શું ફરી લાગુ થશે કડક નિયંત્રણો?
ગુજરાતમાં આજના કોરોના કેસની વાત કરીએ તો, સૌથી વધુ અમદાવાદ કોર્પેોરેશનમાં 9 કેસ નોધાયા છે, જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 8 કેસ નોધાયા છે. તેવી રીતે સુરત કોર્પોરેશનમાં 6, કચ્છમાં 4, જામનગર કોર્પોરેશનમાં 3, વડોદરા 3, વલસાડમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરતમાં 2, ભરૂચ, ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન અને નવસારીમાં 1-1-1-1 કેસ નોંધાયો છે.
ગુજરાતમાં કોરોનાના વધુ 44 કેસ નોંધાયા#Gujarat #CoronaVirusCases #ZEE24Kalak pic.twitter.com/wdkEKhlqPZ
— Zee 24 Kalak (@Zee24Kalak) November 18, 2021
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 9 ને રસીનો પ્રથમ જ્યારે 2543ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 15229 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 117244 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 44909 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 313394 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 4,93,328 ડોઝ અપાયા છે. આ પ્રકારે કુલ 7,62,27,200 ડોઝ અપાઇ ચુક્યા છે.
AMC દ્વારા ટેક્ષ માફી મામલે અતિ મહત્વનો નિર્ણય, હવે આ લોકોનો પ્રોપર્ટી ટેક્સ કર્યો માફ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે