આશ્કા જાની, અમદાવાદઃ આજે ગુરૂનાનકની 551મી જન્મજયંતિ છે. આજે શીખ સમુદાયના ગુરૂદ્વારામાં ઉત્સવનો પર્વ છે. શહેરના ગુરૂદ્વારામાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ભક્તો દર્શન કરવા માટે ગુરૂદ્વારા પહોંચી રહ્યાં છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાય રહે તે માટે ગુરૂદ્વારામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુરૂનાનકની જન્મજયંતિ દર વર્ષે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. ગુરૂદ્વારામાં દર વર્ષે લંગર લગાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લીધે લંગર બંધ છે. તો શોભાયાત્રા કે પ્રભાત ફેરી જેવા કાર્યક્રમોનું આયોજન પણ આ વર્ષે કરવામાં આવ્યું નથી. ગુરૂદ્વારામાં મર્યાદિત સંખ્યામાં લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી ગુરૂ પુરબની શુભકામનાઓ
ગુરૂનાનકની 551મી જન્મજયંતિ નિમિતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને શુભેચ્છા આપી છે. સીએમ રૂપાણીએ કહ્યુ કે, ગુરૂનાનકે આપણને ત્રણ નિયમોનો ઉપદેશ આપ્યો છે.
गुरु पुरब की शुभकामनाएँ।
गुरु नानक देव जी ने सभी को 3 सुनहरे नियमों का उपदेश दिया।
नाम जपो- भगवान को याद करो और ध्यान करो।
किरत करो- ईमानदारी से जीवनयापन करो, अपना कर्तव्य निभाओ।
वंड छको- जो आपके पास है, उसे दूसरों को परोसें।
आइए, आज उसे याद करें और हमारे जीवन में इसका पालन करें।— Vijay Rupani (@vijayrupanibjp) November 30, 2020
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે