બનાસકાંઠા :ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અનરાધાર વરસેલા વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. બનાસકાંઠામાં આ વર્ષે ભારે વરસાદને કારણે અનેક દુર્ઘટના બની છે. બનાસકાંઠામાં વિવિધ દુર્ઘટનાઓમાં કુલ 8 લોકોના મોત નિપજ્યાં છે. બનાસનદીમાં ગઈકાલે ડીસામાં 3 યુવકો ,અમીરગઢમાં એક કિશોર અને આજે કાંકરેજના ઉમરીમાં બે લોકો અને ભીલડીમાં એક આધેડની ડૂબવાની ઘટના બની છે.
બનાસ નદીમાં દુર્ઘટના વધી
બનાસ નદીના પટમાં ન જવાનું તંત્રનું જાહેરનામું છતાં લોકોની ભીડ ઉમટી પડી છે. કાંકરેજના ઉબરીમાં બનાસ નદીના પટમાં લોકો ઉમટ્યા. બનાસ નદીમાં પાણી આવવાની શરૂઆત પહેલા જ લોકો ઉમટી પડ્યા છે. જેને કારણે દુર્ઘટના સર્જાઈ રહી છે. તંત્રનું જાહેરનામું છતાં લોકો બેપરવાહ બની રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે