Home> Gujarat
Advertisement
Prev
Next

ઉનાળા વેકેશનમાં ટ્રેનો થઇ હાઉસફૂલ, દૈનિક 1 લાખ લોકો કરી રહ્યા છે મુસાફરી

સામાન્ય દિવસોમાં અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર દૈનિક 60-70 હજાર મુસાફરો અવરજવર કરે છે. પણ વેકેશનને કારણે હાલ દૈનિક 1 લાખ લોકો મુસાફરી કરી રહ્યા છે. મોટા ભાગના લોકોને કફર્મ ટીકીટ ન મળતા સેકેંડ સીટિંગ એટલે કે જનરલ કોચમાં મુસાફરી કરવી પડી રહી છે. 

ઉનાળા વેકેશનમાં ટ્રેનો થઇ હાઉસફૂલ, દૈનિક 1 લાખ લોકો કરી રહ્યા છે મુસાફરી

સપના શર્મા, અમદાવાદ: ઉનાળા વેકેશનમાં પ્રવાસીઓ વધતા તમામ ટ્રેનોમાં વેઇટિંગ ચાલી રહ્યું છે. લોકોને કંફર્મ ટીકીટ ન મળતા ક્યાંક તો મુસાફરી ટાળવી પડી રહી છે અથવા તો પેનલ્ટી ચૂકવીને મુસાફરી કરવી પડી રહી છે. હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે તો ચારધામ યાત્રામાં પણ જવા મોટી સંખ્યામાં લોકો ટ્રેનની મુસાફરી કરી રહ્યા છે. આ માટે ઝી 24 કલાકની ટીમ ટ્રેનમાં બેઠેલા મુસાફરોની સ્થિતિ જાણવા પહોંચ્યું હતું.

fallbacks

સામાન્ય દિવસોમાં અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર દૈનિક 60-70 હજાર મુસાફરો અવરજવર કરે છે. પણ વેકેશનને કારણે હાલ દૈનિક 1 લાખ લોકો મુસાફરી કરી રહ્યા છે. મોટા ભાગના લોકોને કફર્મ ટીકીટ ન મળતા સેકેંડ સીટિંગ એટલે કે જનરલ કોચમાં મુસાફરી કરવી પડી રહી છે. 

વળી, કોરોના પહેલા જનરલ કોચમાં મુસાફરી માટે તરત સ્ટેશનેથી ટીકીટ લઇ મુસાફરી થઈ શક્તિ હતી પણ હાલ અહીં પણ ફરજીયાત રિઝર્વેશન લાગુ કરવાને કારણે લોકોએ પરેશાન થવું પડી રહ્યું છે. જો કે બીજી તરફ રિઝર્વેશન માટે આવતા લોકો માટે રેલવે પ્રશાશન દ્વારા સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અહીં તત્કાલ રિઝર્વેશન માટે અલગથી સમય ફાળવી ટોકન અપાઈ રહ્યા છે. જેથી ગરમીમાં લોકોની ભીડ થવાની મુશ્કેલી ઉભી ન થાય.

રેલવે PRO નું પણ કહેવું છે કે હાલ તમામ ટ્રેનોમાં વેઇટિંગ ચાલી રહ્યું છે. લોકોની ભીડ જોઈ ચાર ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવ્યા છે. આ સાથે ઉત્તર ભારત જનારી 4 સ્પેશિયલ ટ્રેન પણ શરુ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More