Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મહાસંગ્રામ જામ્યો છે, ત્યારે ZEE મીડિયાએ ગુજરાતનો રાજકીય મંચ તૈયાર કર્યો છે. જ્યાં આજે ગુજરાતની રાજનીતિ પર સવાલ-જવાબ થઈ રહ્યા છે. ZEE મીડિયાના મંચ પર આજે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ હાજરી આપવાના છે. ત્યારે આજે જનતાના મુદ્દાની વાત થશે, હકની વાત થશે અને રાજકીય પક્ષો જનતા માટે શું કરવા માગે છે તેની વાત થવાની છે.
ZEE 24 કલાકના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી ભારત જોડવાની વાત કરે છે, પરંતુ પદયાત્રામાં નર્મદાના પાણી રોકનારા ગુજરાત વિરોધીઓ સાથે દેખાય છે. એટલું જ નહીં, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે હુંકાર કરતા જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી કોણ બનશે તે અગાઉથી જ ગુજરાતની જનતા નક્કી કરે. ત્યારે 2022માં ફરી ગુજરાતની જનતા નક્કી કરશે કે 2024માં દેશના પ્રધાનમંત્રી કોણ હશે. આ સિવાય ગુજરાતની રાજનીતિ પર તમામ મુદ્દે અનુરાગ ઠાકુરે વાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે