વડોદરાઃ વડોદરામાં આવેલી એમએસ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. 17 વર્ષના મયુર શીર્ષદ નામના વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી છે. ગોત્રીના શિવાલય હાઈટ્સના ડી બ્લોકના પાંચમાં માળેથી કુદીને વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. અહીં તે પોતાના મિત્રોને મળવા આવ્યો હતો. પરંતુ પોતાના મિત્રોને મળ્યા વગર જ તેણે પાંચમાં માળેથી મોતની છલાંગ લગાવી હતી. હજુ સુધી તેના આપઘાતનું કારણ સામે આવ્યું નથી.
શું છે સમગ્ર ઘટના
પ્રાપ્ત વિગત અનુસાર વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મયુર શીર્ષદ નામના 17 વર્ષના વિદ્યાર્થીએ પાંચમાં માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી છે. આ વિદ્યાર્થી પોતાના મિત્રને મળવા માટે ગોત્રીના શિવાલય હાઈટ્સના ડી બ્લોકમાં પહોંચ્યો હતો. પરંતુ તેણે મિત્રોને મળ્યા વગર પાંચમાં માળેથી કુદીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસે વિદ્યાર્થીએ આપઘાત કર્યો કે તેની હત્યા થઈ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે