Home> Gujarat
Advertisement
Prev
Next

તમે આવા સડેલા બટાકાની પાણીપુરી તો નથી ખાતા ને! ગુજરાતના એક શહેરમાં ચેકિંગમાં મળ્યું આવું

VMC Raid : વડોડરા કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા પાણીપુરી વિક્રેતાઓના ઘરે રેડ પાડવામાં આવી હતી, જેમાં સડેલા અને ફુગવાળા બટાકા મળી આવ્યા હતા 

તમે આવા સડેલા બટાકાની પાણીપુરી તો નથી ખાતા ને! ગુજરાતના એક શહેરમાં ચેકિંગમાં મળ્યું આવું

Vadodara News : વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા શહેરની ખાણીપીણી પર ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં પાણીપુરી વિક્રેતાઓ પાસેથી સડેલા અને ફંગસવાળા બટાકા મળી આવ્યા હતા. 

fallbacks

વડોદરામાં કોર્પોરેશનના ખોરાક શાખાની ટીમ દ્વારા ગુરુવારે ચેકિંગ હાથ ધરાયું હતું. વાઘોડિયા રોડ ઉકાઈજીના વાડિયામાં પાણીપુરીના વિક્રેતાઓના ઘરે ચેકિંગ કરાયું હતું. ચોમાસાને ધ્યાનમાં રાખી ખોરાક શાખાનું ચેકિંગ હતું. જેમાં ખોરાક શાખાએ સડેલા બટાકા, ફંગસ વાળા બટાકા પકડી પાડ્યા હતા. 

ખોરાક શાખાની 8 ટીમો અલગ અલગ જગ્યાએ ત્રાટકી હતી. જેમાં પાણીપુરી વિક્રેતાઓ દ્વારા વાપરવામાં આવતા પાણી, તેલ, ચણા, બટાકા, ચટણીનું ચેકિંગ કરાયું હુતં. 

કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમે ખરાબ બટાકાનો નાશ કરાવ્યો. તો અનહાઇજેનિક સ્થિતિને લઈને પાણીપુરી વિક્રેતાઓને નોટિસ પણ આપી. 

આણંદ કલેકટર હનીટ્રેપ કાંડમાં મોટું એક્શન, સ્પાય કેમેરો ગોઠવનાર નાયબ મામલતદારની ધરપકડ

વેપારીએ ખોરાકમાં શું શું વાપર્યું છે તે લખવું પડશે 
વડોદરા શહેરમાં ખાણીપીણીના ધંધાર્થીઓને ખાદ્ય ચીજ બનાવવામા ક્યું તેલ, પનીર, બટર, ચીઝ વગેરે વાપર્યું છે તે ગ્રાહકો સ્પષ્ટ વાંચી શકે તે રીતે પોતાને ત્યાં લખીને મૂકવું પડશે. સેન્ડવીચ, પાવભાજી, વડાપાંવ, રોટી વગેરે ઉપર લગાડવામાં આવતા ઘી, બટર, ટેબલ માર્ગેરીન, ફેટ સ્પ્રેડમાંથી કયું વાપર્યું છે તે પણ દર્શાવવું પડશે. ખોરાક શાખા દ્વારા કઈ રીતે આ લખવું તેનું ફોર્મેટ પણ દુકાનદારો અને ધંધાર્થીઓને આપ્યું છે. બોર્ડમાં લખ્યા મુજબની વસ્તુ વાપરી છે કે કેમ તેના પણ નમૂના લઇ ચેકિંગ કરાશે.ફરસાણ સિંગતેલ, પામોલીન, કપાસીયા વગેરે કયા તેલમાંથી બનાવ્યું છે તે બોર્ડ ઉપર લખવું પડશે. જો નહીં મૂકે તો દુકાનદારની સામે ફૂડ સેફટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફટી ઓફિસરોની ટીમો દ્વારા શહેરમાં હોટેલો, રેસ્ટોરન્ટ, ઢાબા, ભોજનાલય, ખાણીપીણીની લારીઓ, નાસ્તાની દુકાનો, ફરસાણની દુકાનો વગેરે સ્થળે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ દુકાનદારો અને વેપારીઓ આ નિયમનું પાલન કરે છે કે નહીં તેનું ચેકિંગ કરશે. જો વેપારીએ બોર્ડ નહીં મૂક્યું હોય તો તેને સમજાવીને પંદર દિવસનો સમય આપવામાં આવશે. આમ છતાં પણ તે નહીં માને તો તેની સામે કાર્યવાહી થશે.

ચોમાસામાં સાપુતારા ફરવા જનારા મુસાફરો માટે ખાસ ખબર, ભૂલથી પણ આ કામ ન કરતા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More