Vadodara News : વડોદરામાં હરણી બોટકાંડમાં 14 નો ભોગ લેનાર પાંચ આરોપીને અંતે જામીન મળ્યાં છે. બે મુખ્ય આરોપી સહિત પાંચ આરોપી આઠ માસ બાદ જેલ બહાર આવશે. કોટિયા બંધુ અને પેટા કોન્ટ્રાક્ટરોને હાઇકોર્ટે જામીન આપ્યા છે. તારીખ 18 જાન્યુઆરી 2024 ના રોજ બોટ દુર્ઘટના બની હતી. જેમાં 12 માસુમ ભૂલકા અને 2 શિક્ષકોનો ભોગ લેવાયો હતો.
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં વડોદરાના હરણી તળાવમાં થયેલી બોટ દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 માસુમ બાળકોના મોત નિપજ્યા હતા. સાથે જ બે શિક્ષકો પણ મોતને ભેટી હતી. ત્યારે વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટના કેસની સોમવારે સુનવણી હતી, જેમાં હાઈકોર્ટે મોટો ફેંસલો આપતા આ કેસના પાંચ આરોપીઓને જામીન આપ્યા છે. જસ્ટિસ એમ.આર. મેંગડેની સિંગલ બેન્ચે તમામ પાંચ આરોપીની જામીન મંજૂર કરી છે.
નવરાત્રિ પહેલા માતાના મઢમાં ચમત્કાર! આશાપુરા માતાની મૂર્તિના મુખારવિંદમાં થયો ફેરફાર, અલૌકિક ઘટના
કોને કોને મળ્યા જામીન
શું બની હતી દુર્ઘટના
18 જાન્યુઆરી 2024 ના રોજ વડોદરામાં આવેલા હરણી તળાવમાં એક બોટ પલટી ગઈ હતી. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના ડૂબાવાથી મૃત્યુ પામ્યા હતા. આ બાળકો પોતાની શાળાથી પિકનિક ગયા હતા. અને ત્યાં આ દુર્ઘટના સર્જાઇ હતી.
હાઈકોર્ટ દ્વારા આ મામલે સુઓમોટો દાખલ કરવામાં આવી હતી. અગાઉ કેસમાં ચાર મહિલા આરોપીઓને જામીન આપવામાં આવ્યા હતા. હજુ એક આરોપી જેલમાં છે.
આ કેસ અંગેના આરોપીઓ સામે કલમ 304, 308, 337, 114 સહિતની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાંમાં આવ્યો છે. આ અંગેના ઓર્ડરની વિગતવાર નકલની રાહ જોવાઈ રહી છે.
દાદાની સરકારે સવાર સુધી ગરબા રમવાની છૂટ આપી, હવે કોઈ ગરબા બંધ કરાવવા નહિ આવે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે