બ્રિજેશ દોશી/ગાંધીનગર :પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે હવે બંને રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે. પરંતુ હવે વારો સ્ટાર પ્રચારકોનો છે. 8 બેઠકોની પેટાચૂંટણી (byelection) માં બંને રાજકીય પક્ષો સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાના છે. ત્યારે પેટાચૂંટણીના પ્રચારમાં ભાજપ (bjp) એડીચોટીનું જોર લગાવશે. આવતીકાલથી સ્ટાર પ્રચારકો પ્રચારના રણમાં ઉતરશે. તેમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી આઠેય બેઠકો પર પ્રચાર કરવાના છે. આવતીકાલથી મુખ્યમંત્રી રૂપાણીનો પ્રવાસ શરૂ થશે. તો બીજી તરફ, કોંગ્રેસ (congress) ના દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી પ્રચારમા ઉતરશે.
કોણ ક્યાં પ્રચાર કરશે
સ્મૃતિ ઈરાની ગુજરાત આવશે
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પણ પેટાચૂંટણીમાં પ્રચાર માટે ગુજરાત આવશે. તેઓ લિંબડી ખાતે ચૂંટણી પ્રચાર કરે તેવી શક્યતા છે. એક દિવસની ગુજરાત મુલાકાતમાં ભાજપ અને ચૂંટણી પ્રચાર માટેની તૈયારીઓ ચાલી રહી છે.
કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર
પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ પણ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતરશે. 22 તારીખ અલગ અલગ બેઠકો પર સભાઓ યોજાશે. અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના દિગ્ગજ નેતાઓ 8 બેઠકો પર જોરશોરથી ચૂંટણી પ્રચાર કરશે. જેમાં અર્જુન મોઢવાઢિયા, સિદ્ધાર્થ પટેલ અને હાર્દિક પટેલ 6 બેઠકો પર પ્રચાર માટે જશે. 21 થી 29 ઓક્ટોબર સુધી તમામ નેતાઓના શિડ્યુલ તૈયાર થઈ ગયા છે.
આ પણ વાંચો : ભરૂચવાસીઓને સરકારે આપી મોટી ભેટ, નવી મેડિકલ કોલેજ માટે આપી મંજૂરી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે