Uttarayan સપના શર્મા/અમદાવાદ : વર્ષ 2023ની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે હવે ઠંડીનો ચમકારો વધવાનો છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનોની અસરથી ગુજરાતમાં ઠંડી અનુભવાઈ રહી છે. હાલ ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યાં છે. પરંતુ સવાલ એ છે કે શું ઉત્તરાયણ પર પણ આવો પવન રહેશે કે નહિ. પવન હશે તો પતંગ ચગશે. ત્યારે ગુજરાતના પતંગ રસિકો માટે સારા સમાચાર આવ્યા છે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ તેજ રહેવાની આગાહી કરાઈ છે. આગાહીકાર અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ કે, ઉત્તરાયણના દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે, જેથી પતંગ રસિકો પતંગ ઉડાવવાની મજા માણી શકશે.
હવામાન વિભાગે ઉત્તરાયણના દિવસોમાં કેવો પવન રહેશે તે વિશે જણાવ્યું કે, ઉત્તરાયણ પર્વ પર સારો પવન રહેવાની શક્યતા છે. હાલ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. હાલ અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વેસ્ટર્ન ડિસ્ત્રબન્સની અસરથી ધૂમ્મસભર્યું વાતાવરણ રહેશે.
આ પણ વાંચો :
હિંમત હોય તો જોજો આ Video, રખડતા શ્વાનનો બાળકી પર હુમલો, તેના ગાલની એવી હાલત કરી કે
વડોદરામાં નાનકડા પરિવારનો સામૂહિક આપઘાત : દિવાલ પર લખ્યું, અમે મરજીથી આપઘાત કરીએ છીએ
તો આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 9 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો જોવા મળશે. 10, 11 અને 12 જાન્યુઆરીએ હવામાનમાં મોટો પલટો આવતા આ દિવસોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. 10 જાન્યુઆરીએ ઠંડા પવનો ફૂંકાતા મધ્ય ગુજરાતમા ન્યૂનત્તમ તાપમાનમાં ઘટાડો થશે. અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી આસપાસ જ્યારે ગાંધીનગરમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. 20 જન્યુઆરી સુધી વાદળછાયા વાતાવરણની આગાહી તેમણે કરી છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં મગફળીના ખેડૂતોને લોટરી લાગી, અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ મળ્યા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે